SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ : પ૪ : પંચસૂત્ર દ્વેષ ભસીને બટકું ભરે છે, જ્યારે મોહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરો છે એમ માલુમ પડે, મોહમાં તો કૂતરો છે એમ ખબર જ ના પડે. મોહ કૂતરાને બકરૂં દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. દુનિયામાં જો કાંઈ કિંમતી છે તો તે જડ છે, શબ્દાદિ વિષયો, ધન, કુટુંબ કાયા, ઘર દુકાન વગેરે જ મહત્ત્વનાં છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ સર્વસ્વ છે, તે જ હિતકારી છે'- એવું એવું મોત એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કોઈ વસ્તુજે નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મોહના છે. “આત્માને માટે દેહ છે,’ એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે , માટે એની જ કાળજી કરવી,' એમ માને, એમ વર્તે. “આત્મા માટે દેહ' ને બદલે દેહને ખાતર જ આત્મા’ સમજે. જેટલો મોહ જીતવો મોંધો છે, મોહથી જીતાવું તેટલું જ સહેલું છે. મોહ ન હોત, ને એકલા રાગદ્વેષ હોત તો એ કરડી ખાનારા કૂતરાને ઓળખત. તો કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મોહ કૂતરાને બકરો દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કૂતરાને બકરૂં દેખાડવું તે મોહનું કામ. એમ મોહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાદાયી પણ આનંદાદાયી મનાવે; જેમ, કોઈ દારૂ પીધેલાને તમાચો મારે તોય એ હસે છે. ગંધાતી ગટરને સુખનો સાગર મનાવનાર દારૂ છે ! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા માત્ર ચામડાના રૂપરંગથી ખૂબસુરત મનાવનાર મોહ છે. વાહ ! મોહ તારી માયા ! મોહ આત્માને ભયંકર નુકશાન તો કરે જ છે, પણ નુકશાનને પાછો લાભમાં ખતવાવે છે. મોહને કાબુમાં લો તો જ રાગ કાબુમાં આવે. જીવ મોહ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાંથી મોહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તો રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મોહ ભાન રહેવા દે નહિ; દોષના જ બચાવ કરાવે. કોઈ આપણી ચીજ માગી લે તે ખમાય, ભૂલમાં લે તે ય ખમાય, પણ ઉપાડી જાય, આંચકી લે, ખૂંચવી લે, અને પાછો પોતાને એનો હકદાર માને તે નથી ખમાતું, ગુંડાગીરી લાગે છે. “ચોરી કરે અને પાછો શાહુકારીનો ફાંકો ? આ તો હદ થઈ એમ થાય છે. બસ, મોહ આ કોટિનો ગુંડો લૂંટારો છે, છતાં એને એવો માનવાને બદલે પરમમિત્ર માનીએ છીએ એજ આપણી ગમારી છે. મોહ ન હોય તો રાગદ્વેષના દૂષણની ઓળખાણ હોય, દૂષણ તરીકે હજી માનવાનું બને, પણ મોહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતાં, ગુણની
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy