________________
પંચસૂત્ર ભૂમિકા
: ૧૩ :
દિશાએ સવળું ફેરવે છે; આ જીવના અનાદિના “લાવ લાવ ના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર ‘લે લે'ના ઊભા કરે છે; “આવ, આવ'ની વાત મુકાવી ‘જા, જા'ની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છોડવાના સંસ્કાર સિંચે છે. આ બધું સમ્યક્ ક્રિયા કરી શકે. ક્રિયા અને જ્ઞાનની વાત જ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીનો આ સાર. એકલા જ્ઞાનવાળાને તો વાત કાંઈ અને ક્રિયા કાંઈ. તે ચાલે નહિ, શોભે નહિ, સફળ થાય નહિ. જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ ક્રિયા જોઈએ. જ્ઞાન સાથે સમ્યફ ક્રિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મોહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શૈલેશી ક્રિયા દ્વારા મોક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયું; હવે ક્રિયાની જરૂર નહિ.
પાપ પ્રતિઘાત-ગુણબીજ વિના બધું એળે એ પહેલાં પાપનો પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આરોપણ થતું નથી. એ બંને વિનાનો બધો પ્રયાસ અફલ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપનો નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના જ અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે મુક્તિ જે થવી જોઈએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ બન્યું ? ક્રમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. ક્રમિક પ્રયાસ વિના સાધુધર્મ ગમે તે રીતે લીધો હોય તો તે ગુણકારક નથી થતો; કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે.
નિર્બેજ ક્રિયા :- ચારિત્રનું નજીકનું ફળ શું? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણ ફલ સુદેવપણું, સુમનુષ્યપણું, પુણ્યાનુબંધી પુષ્પાઈવાળું ઊંચ ગોત્રીય દેવત્વ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે. નિર્બેજ ક્રિયા છે. બીજ આ, પાપપ્રતિધાતપૂર્વક ગુણબીજ, પૂર્વ કહ્યું કે, અશુભાનુબંધ તોડી શુભાનુબંધ ઊભા કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુબંધી નથી બન્યું. દેવપણું ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે, અને અંનતીવાર નવમા સૈવેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ રૈવેયક દ્રવ્યચારિત્ર વિના તો ન જ મળે. સાધુક્રિયા વિના રૈવેયકમાં ન જવાય. જીવે અનંતીવાર ઊંચી સાધુકિયા પાળી, પણ પછીય સંસારભ્રમણ રહ્યું, મુક્તિ ન મળી. એ બતાવે છે કે વિધિપૂર્વક, ક્રમપૂર્વક સાધુક્રિયા લીધી નહિ. પાપપ્રતિધાત જ ન કર્યો, ચારિત્રક્રિયાની તફડંચી કરી. આત્મામાં કાંઈ મહત્ત્વનો પલટો કરવો જોઈએ, એ વાત જ ન જાણી. સહન કરેલું કષ્ટ એળે ગયું. દેવલોક મળ્યો તેથી તો આત્માનો