________________
પંચસૂત્ર ભૂમિકા
: ૩ :
શાસ્ત્રકાર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચનો સૂત્રવચન જેવા હોઈને એનાં ય રહસ્યો ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનનો પ્રયત એ માર્ગે એક અલ્પ પ્રયાસ છે. પંચસૂત્ર' શું? : પાંચ સૂત્રનો વિષય :
આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે આમાં મુખ્ય પાંચ અધિકારને લગતાં પાંચ સૂત્રનો સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે -
(૧) પાપ-પ્રતિપાત અને ગુણબીજાધાન (ર) સાધુધર્મ-પરિભાવના (૩) પ્રવ્રજ્યા-ગ્રહણ-વિધિ (૪) પ્રવજ્યા-પરિપાલન (૫) પ્રવ્રજ્યા-ફળ.
(૧) પાપ-પ્રતિપાત અને ગુણબીર-આધાન :
પાંચમા સૂત્રમાં પ્રવજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિત અવસ્થા, મુક્તદશા વર્ણવી છે. ત્યાં મોક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિપાત અને ગુણ-બીજાધાન કરવાની પ્રક્રિયા બતાવી છે. અહીં પાપ-પ્રતિપાતમાં “પાપ” એટલે અશુભ અનુબંધનો આશ્રવ આગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મોનો આશ્રવ. અનુબંધ એટલે તેવા તેવા પાપની પરંપરા ચલાવે તેવી બીજ -શક્તિ. એવી અશુભ પરંપરા ચાલે એવાં કર્મનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેનો પ્રતિધાત એટલે વિચ્છેદ. એ એવો કે જેથી એ અનુબંધ નષ્ટ થયેથી એ પાપનો આત્મા પરથી અધિકાર જ ઉઠી જાય. અર્થાત એ પાપોમાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસત્ અભિનિવેશ કષાયાવેશ, વગેરે પાપો તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણબીજનો અધિકાર સ્થાપિત થાય,.
ગુણબીજ' એટલે ગુણોનું બીજ. ગુણો” એટલે ભાવથી પ્રાણાતિપાત-વિરમણ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સંપૂર્ણતઃ ગુણ છે એનું “બીજ' એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું “આધાન'=સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સંકલેશ અટકી જઈને ગુણની પરંપરા ચાલે. આનું નામ ગુણબીજાધાન. તેનો પરમ આધારભૂત પહેલા સૂત્રમાં બતાવેલ ચતુ શરણ-સ્વીકાર