SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧ : ૧૦૭ : નિયાણાનું પ્રતિપાદન કરનાર માનીએ, તો નિયાણાંના નિષેધક વચનો સાથે વિરોધ પડે. તાત્પર્ય, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સર્યું. સૂત્ર :- પરિવંધમં સુદમાવનિરોરેખ સુદમાવવીગં તિ સુધારા સામે पढिअव्वं, सम्मं अणुपेहिअव्वं ति । नमो नमिअनमिआणं परमगुरूवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सवण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तुजीवा, सुहिणो भवन्तु जीवा । અર્થ અને વિવેચન : હવે સૂત્રની સમાપ્તિ કરતાં ચરમ મંગળ કરે છે. દેવોથી વંદાએલા એવા ઈદ્રો તથા ગણધર મહર્ષિઓ પણ જેમને વંદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર હો. બાકીના પણ નમસ્કારને યોગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હો. સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દર્શનોને હટાવી વિજય પામી, જયવંતુ વર્તો. પ્રાણીઓ વરબોધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દોષ ટાળીને સમ્યગ્દર્શન આદિ શુદ્ધ જર્મની સ્પર્શનાથી સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. આ પ્રમાણે (૧) “પાપ પ્રતિઘાતથી” એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આશ્રવધૂત ભાવોના વિચ્છેદપૂર્વક, (૨) “ગુણે બીજનું આધાન અર્થાત ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણ રૂપી ગુણના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથા પ્રકારના શુભાનુબંધક વિચિત્ર વિપાકવાળા કર્મનું આધાન સૂચવ્યું. આને સૂચવનારૂં પાપ-પ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત થયું. ૧લું પાપ-પ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy