SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧OO : પંચસૂત્ર પોષાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હોવા છતાં ધર્મપ્રવૃત્તિ જો ખોડખાંપણવાળી હશે, તો આત્માનું સત્ત્વ હણાશે. જો સત્ત્વ અખંડ, તો શું કામ દોષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દોષ-અતિચાર વિનાની બને તો જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ કશું ન બની શકે. ઉન્નતિનાં અજોડ સાધન અને એનાં કારણ : તાત્પર્ય, જિનાજ્ઞાનો જાગતો ખપ, નિર્મળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગુ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક ક્રિયા અને (૪) તેનો અખંડ નિર્દોષ નિરતિચાર નિર્વાહ, આ પ્રવૃત્તિ-અંગો છે. (૧) જિનાજ્ઞાના બંધનમાં જીવ જિનેશ્વરદેવનું સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; “એમણે કહેલ તત્ત્વ જ સાચાં; એમણે કહેલ આરાધના માર્ગ જ સાચો'; આ હાર્દિક ભાવ ઊભો કર્યો, તેથી જિનોક્ત તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર રહે જ. અનાદિના મૂળભૂત દોષ અહત્વ અને આપમતિને દબાવવા માટે આ અદૂભૂત કામ કરે છે. એટલું ખરું કે “હું જિનાજ્ઞાને જ પ્રધાન કરું છું' એવું માત્ર કહેવા તરીકે કહેવાનું નહિ, પણ જીવનમાં જીવી બતાવાય, એ જિનાજ્ઞાબંધન છે. માટે સક્રિય જિનાજ્ઞાબંધન જોઈએ. (૨) સુંદર અધ્યવસાયોથી ભર્યું ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવામાં આવે, તો મલિન ભાવો અને હલકા વિચારો ઘણા ઘણા ઓછા થઈ જાય; કુસંસ્કારનો હ્રાસ થતો આવે; સુસંસ્કારનું બળ વધતું જાય. તેથી તો એ સંસ્કારોનો સારો જથો એકત્રિત થતાં આગળ આગળ અતિ ઉચ્ચકોટિના અધ્યવસાયને અવકાશ મળે, (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તો તીર્થકર ભગવાને કહેલી ધર્મશાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ છે. જો કાળ, સ્વભાવ, પૂર્વક કે ભવિતવ્યતાથી જ આત્માનો ઉદ્ધાર થઈ જતો હોય, તો શાસન સ્થાપવાની જરૂર શી ? પરંતુ જીવો મોક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફોરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યું. એમાં પંચાચારમાં વળી વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યો, એય ચારે આચારના પુરુષાર્થમાં વિશેષ સત્ત્વ ફોરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થાય,
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy