________________
મનરૂપી મહેલમાંથી બધા દુર્ગુણો, વાસનાઓ અને અધમ સંકલ્પોરૂપી કચરો સાફ કરી નાખવો જોઈએ.
જ્યારે મનમાં કોઈ પણ સંકલ્પ કે ઇચ્છા ઉત્પન્ન થાય છે, ત્યારે વિષયી માણસ તેને એકદમ આવકારી સંતોષવાને માટે પ્રયાસ કરે છે. પણ સાધક તો વિવેક દ્વારા અયોગ્ય જણાય તો તેને તરત જ બહાર હાંકી કાઢે છે. સુજ્ઞ પુરુષો વિષયી ઇચ્છાની એક નાનીસરખી ચિનગારીને પણ મહાન અનર્થરૂપ માને છે. માટે તેઓ કોઈ પણ જાતની ઇચ્છાને મનમાં સ્થાન આપતા જ નથી ને માત્ર આત્મામાં જ આનંદ માણે છે. . .
સંકલ્પથી સર્જનની ક્રિયા શરૂ થાય છે. સંકલ્પ એટલે જ અમૂર્તમાંથી બાહ્મમૂર્ત સ્વરૂપ ધારણ કરવું તે. સંકલ્પ એટલે જ ભેદભાવ, અનેકતા અને ગુણનો લોપ, સંકલ્પ એટલે જ સંસાર, સંકલ્પથી જ શરીર સાથે તાદાત્મ્યનું બીજ રોપાય છે ને ‘હું’ ને ‘મારા’ પણું ઉદ્ભવે છે.
સંકલ્પ જ દેશકાળને ઉત્પન્ન કરે છે. વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા આ સંકલ્પોને બંધ કરો અને શુદ્ધ સચ્ચિદાનંદમાં મગ્ન થાઓ. વિચારમાત્રનો નાશ થતાં જીવનમુક્ત સ્થિતિને પામશો.
(49)
૮૨