________________
રાખો. જે કોઈ વસ્તુનું મન ગાઢ ચિંતન કરે છે તે વસ્તુનું રૂપ મન ધારણ કરે છે. જો તે નારંગીનો વિચાર કરે તો તે નારંગીનું રૂપ ધારણ કરે છે. જો તે હાથમાં બંસીવાળા ભગવાન શ્રીકૃષ્ણનું ચિંતન કરે તો તે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કરે છે. માટે જ તમારે મનને યોગ્ય તાલીમ આપી તેને ચિંતન માટે હંમેશાં સાત્ત્વિક આહાર આપવો જોઈએ.
મોક્ષરૂપી ધ્યેયને હાંસલ કરવા તમારા બધા વિચારો માટે સાત્ત્વિક ભૂમિકા હોવી ખૂબ જરૂરી છે. જો તમે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હો તો તેના સ્વરૂપનો સ્પષ્ટ ચિતાર, “ૐ નમો ભગવતે વાસુદેવાય” રૂપી તેના નામમંત્રનો જપ અને તેના દિવ્ય ગુણો (સગુણ-નિર્ગુણ)ની પશ્ચાદ્ ભૂમિકા તમારા બધા સંકલ્પો માટે આવશ્યક છે. નિર્ગુણના ઉપાસક વેદાંતીએ પોતાના સંકલ્પોના આધાર તરીકે ઉૐકાર અને તેના અર્થ (પ્રકાશનો અનંત સાગર સચ્ચિદાનંદ, વ્યાપક, પરિપૂર્ણ-આત્મા) રાખવા જોઈએ. આ સંસારમાં આવી પડેલું કાર્ય કર્યા કરો અને જે ક્ષણે મન નવરું પડે તે ક્ષણે તમારી રુચિ, શક્તિ ને સ્વભાવ પ્રમાણે તમારી સાધનાને અનુકૂળ બધા સંકલ્પોના આધારભૂત એવા સગુણ કે નિર્ગુણ બ્રહ્મરૂપી પશ્ચાદ્ભૂમિકાનું સતત ચિંતન કર્યા કરો. આમ સતત ચિંતન દ્વારા મનમાં એક પ્રકારની ટેવ પડી જશે, જેથી મન વગર પ્રયાસે તે તરફ દોડશે.
મોટા ભાગના લોકોના જીવનમાં કંઈ પણ આદર્શ કે ચોક્કસ કાર્યક્રમ અથવા સંકલ્પો માટેની આધારભૂત સાત્ત્વિક પશ્ચાદ્ભૂમિકા હોતી નથી તે શોકજનક છે. આથી તેમનું જીવન નિષ્ફળ જ જવાનું. યુવાન પરણેલી સ્ત્રીના વિચારોની પશ્ચાદ્ ભૂમિકા સામાન્ય રીતે કામ પૂર્ણ હશે, ત્યારે વૃદ્ધ માતાના સંકલ્પોની પાછળ પોતાના પુત્ર ને પૌત્રો માટેનો પ્રેમ જોવામાં આવશે. મોટા ભાગના મનુષ્યના વિચારોનું પ્રેરક બળ વૃણા ને ઈર્ષા જ હોય છે. આજકાલ યુનિવર્સિટી ડિગ્રીવાળા લોકો સામાન્ય રીતે કેળવાયેલા ને સંસ્કારી ગણાય છે, પણ આધ્યાત્મિક જ્ઞાનની બાબતમાં તેમનું જ્ઞાન નહિવત્ છે. આવા લોકોના જીવનમાં કોઈ પણ આદર્શ, નિશ્ચિત કાર્યક્રમ અથવા સંકલ્પો માટે સાત્ત્વિક ભૂમિકા હોતી નથી. પેન્શન મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર ત્રીજી પત્નીને પરણે છે અને કોઈ સ્ટેટના દીવાન તરીકે કામ કરવા લાગે છે.
સંસારમાં રચ્યોપચ્યો માણસ જાતીય વિષયી વિચારો તેમ જ તિરસ્કાર, ક્રોધ ને વેરઝેરના વિચારોથી ભરપૂર હોય છે. આ બે જાતના સંકલ્પોએ