________________
તેની એકાગ્રતાની આડે આવતા અનેકવિધ વિઘ્નો દૂર કરવા એક જ વસ્તુ પર મનને સ્થિર કરવાનો સતત અભ્યાસ કરવો જોઈએ.
એકાગ્રતા વિષયી વિચારો ને વિષયી ઇચ્છાઓનું વિરોધી પરિબળ છે. આનંદ એ ચિંતાનું વિરોધી છે. એવી જ રીતે સ્થિર ચિતન એ પણ ચિંતાનું વિરોધી છે. સક્રિય વિચાર એ પ્રમાદ ને સુસ્તીનું વિરોધી છે, ત્યારે આનંદનો ઊભરો એ ધૃણાનું વિરોધી છે.
બાહ્ય પદાર્થો પર મનને એકાગ્ર કરવું સહેલું છે. કારણ કે મનમાં સ્વાભાવિક રીતે જ બહારના વિષયોમાં ભમવાનું વલણ રહેલું છે. માટે શ્રી કૃષ્ણ, રામ, નારાયણ, દેવ, ભગવાન, જીસસ, વગેરેનું ચિત્ર તમારી દૃષ્ટિ સમક્ષ રાખો અને મટકું માર્યા વગર તેના તરફ એકાગ્ર દૃષ્ટિએ જુઓ. પ્રથમ મસ્તકને ધ્યાનપૂર્વક જુઓ, પછી શરીર ને છેવટે પગને. આ ક્રમે આ ક્રિયાનું વારંવાર આવર્તન કરો. જ્યારે તમારું મન શાંત થાય ત્યારે ફક્ત એક સ્થાને દષ્ટિ રાખી આંખો બંધ કરો અને માનસિક ચિત્ર ખડું કરવાનો યત્ન કરો.
આ અભ્યાસથી ચિત્રની ગેરહાજરીમાં પણ તેને તમારા મનમાં ખડું કરી શકશો. સંકલ્પ થતાં જ એક ક્ષણમાં માનસિક ચિત્ર નિર્માણ થઈ જવું જોઈએ. ત્યાર બાદ તે ત્રિને થોડી વાર મનમાં સ્થિર કરો. આનું નામ એકાગ્રતા. આવો અભ્યાસ દરરોજ કરવાનો છે.
જો તમારા મનની એકાગ્રતાની શક્તિ વધારવી હોય તો તમારી સાંસારિક ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓ મર્યાદિત કરવી જ પડશે. ત્યારે રોજ નિયમિત રીતે થોડા કલાક મૌન પાળવું પડશે; તો જ મન સહેલાઈથી એકાગ્ર થઈ શકશે.
ધ્યાન વખતે તમારા મનરૂપી સરોવરમાં માત્ર એક જ વિચારરૂપી તરંગ - હોવો જોઈએ. આથી મન માત્ર એક જ વસ્તુનું રૂપ ધારણ કરે છે ને મનની બીજી બધી ક્રિયાઓ થંભી જાય છે. ૨. દેઢ મનોબળ દ્વારા વિચારનિયમના
ઉન્નતિના માર્ગમાં વિદ્ગકારક એવા અનિચ્છનીય વિચારો અને તેની ખરાબ અસર સામે થવાની શક્તિ મનમાં કેળવવા માટે ખૂબ જ મનોબળની જરૂર પડે છે. આ મનોબળ વધારવાથી તમારા ઉપર માત્ર અંદરના આત્માની ઉચ્ચ પ્રેરણા ને બહારનાં પ્રેરક બળોને ગ્રહણ કરી શકાશે. માટે હંમેશાં તમારા મનને સૂચન કરો : “હું મારા મનને બંધ કરું છું. હલકી અસર