SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય એ ખરેખર સંજોગોનો ગુલામ નથી. તે પોતાની શક્તિ, ચારિત્ર, વિચાર, સત્કર્મોને યોગ્ય પુરુષાર્થથી તેના પર કાબૂ મેળવી પોતાની ઇચ્છા પ્રમાણે ફેરવી શકે છે. તીવ્ર પુરુષાર્થથી ભાગ્ય પણ પલટી જાય. આથી જ વસિષ્ઠ અને ભીખે ભાગ્ય કરતાં પુરુષાર્થને ચડિયાતો ગણ્યો છે. માટે જ પુરુષાર્થ કરો, પ્રકૃતિ પર વિજય મેળવો ને અજરામર સચ્ચિદાનંદ આત્મામાં રમણ કરો. છે. વિચારો દ્વારા થતું શરીરનું ઘડતર શરીર ને તેના વિવિધ અવયવો એ માત્ર વિચારોનું જ રૂપાંતર છે. શરીરનું સતત ધ્યાન ધરતું મન પોતે શરીરરૂપ બને છે, તેમાં બંધાઈ જાય છે ને દુઃખી થાય છે. આ શરીર એ મનના પોતાના આનંદને માટે ઉન્નત કરેલ વિહારસ્થાન છે, જેમાંની પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન પોતાની વિવિધ શક્તિઓને બહાર પ્રેરે છે, તેમજ બહારની દુનિયાનું જ્ઞાન ને આનંદ માણે છે. શરીર એ ખરેખર, આપણા વિચારો, મનોવૃત્તિઓ, માન્યતાઓ અને ઊર્મિઓએ મૂર્ત સ્વરૂપ ધારણ કરેલી, આપણી સમક્ષ સાકારરૂપે દેખાતી વસ્તુ માત્ર છે. બધાં શરીરોનું મૂળ મન જ છે. પાણી વિના બગીચો કેવો ? મન જ બધાં કાર્યો કરે છે અને તે જ સર્વશ્રેષ્ઠ શરીર છે. જો આ સ્થૂળ શરીર નાશ પામે તો મન પોતાની ઇચ્છાનુસાર નવું શરીર ધારણ કરવાનું જ. જો મન જડ થઈ જાય તો શરીર દ્વારા કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. મનુષ્યોના મોટા ભાગમાં મન મહદ્ અશે શરીરના કાબૂમાં હોય છે. તેઓનાં મન અલ્પ વિકસિત હોય છે તેથી મોટા ભાગે અન્નમય કોષમાં રહે છે. વિજ્ઞાનમય કોષનો વિકાસ કરો અને વિજ્ઞાનમય કોષ (બુદ્ધિ) દ્વારા મનોમય કોષ (મન) પર અધિકાર મેળવો. ‘હું શરીર છું આ ભ્રમભરેલો વિચાર જ સર્વ અનર્થનું મૂળ છે. આત્માને શરીર માનવું એ અસત્ વિચારનું પરિણામ છે. આથી દેહાધ્યાસ દઢ થતાં શરીર પર આસક્તિ ને મોહ ઉત્પન્ન થાય છે. આનું નામ અહં. અહમાંથી મમતા જન્મે છે. આમ મોહ ને આસક્તિથી જ જીવ બંધનમાં પડી દુઃખ ને પીડા ભોગવે છે. – ધ્રુજી
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy