________________
વિચારશક્તિનાં કર્તવ્ય
૧. વિચારોથી પ્રાપ્ત થતું આનંદદાયક આરોગ્ય
શરીર એ આંતરિક રીતે મનની સાથે જોડાયેલું છે. શરીર ને મનની જોડી છે એમ કહીએ તો પણ ચાલે. મન એ સૂક્ષ્મ અદશ્ય અંશ છે, તો શરીર એ સ્થૂલ દેશ્ય ભાગ છે. જો આપણને દાંત, જઠર કે કાનમાં દુઃખ થાય તો તરત જ મન પર તેની અસર થશે. તે પોતાની વિચાર કરવાની શક્તિ ગુમાવી બેસશે, તે ઉશ્કેરાઈ જશે યા તદ્દન વિહવળ બની જશે.
મનમાં નિરાશા હોય તો શરીર પણ પોતાનું કાર્ય બરાબર કરી શકે નહિ. શરીરને જે દુ:ખ સહન કરવો પડે છે તે રોગ કે વ્યાધિ તરીકે ઓળખાય છે, જયારે મનને સતાવતી વાસનાઓ આધિ તરીકે ઓળખાય છે.
શારીરિક તંદુરસ્તી કરતાં માનસિક તંદુરસ્તી વધારે અગત્યની છે. જો મન તંદુરસ્ત હશે તો શરીર જરૂર તંદુરસ્ત રહેવાનું જ. જો મન અને તેના વિચારો શુદ્ધ અને પવિત્ર હશે તો તમે આધિ, વ્યાધિ બનેથી મુક્ત રહી શકશો. ‘તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન રહેશે.” ૨. વિચારથી ખીલતું વ્યક્તિત્વ
ઉન્નત વિચાર મનને પણ ઉન્નત બનાવે છે ને હૃદયને ઉદાર બનાવે છે. હલકો વિચાર મનને ઉશ્કેરી મૂકે છે અને લાગણીને કલુષિત, બુઠ્ઠી ને કલંકિત કરે છે.
જેઓને પોતાના વિચારો તેમ જ વાણી ઉપર થોડો ઘણો પણ સંયમ હોય તેઓનો ચહેરો શાંત, ગંભીર, સુંદર ને આકર્ષક બને છે. વાણી મધુર હોય છે ને આખો તેજસ્વી પ્રકાશિત હોય છે.