________________
ઝળહળે છે. જ્યારે મન સર્વ પ્રકારની જરૂરિયાત, ઇચ્છા, વાસના કે દબાણથી મુક્ત તદ્દન આશામુક્ત બને છે ત્યારે જ આત્માનો પ્રકાશ તેમાં પડે છે. તો જ આનંદનો અનુભવ થાય. હંમેશાં સંતોના જીવનને અનુસરો. આપણા વિચાર, મન અને સ્વાર્થી વૃત્તિઓ પર વિજય મેળવવાનો આ એક જ રસ્તો છે અને જ્યાં સુધી મન પર વિજય મેળવ્યો નથી ત્યાં સુધી ચોક્કસ ને કાયમી વિજય કહેવાય નહિ. ૧૩. વિચારરૂપી પાછું ફરતું ચક્ર
વિચાર કરવામાં ખૂબ જ સાવધાન રહો. જે જે વિચાર તમારા મનમાંથી બહાર નીકળે છે તે પાછો ત્યાં જ આવીને અટકશે. મનમાંથી નીકળેલો પ્રત્યેક વિચાર આફ્રિકન હથિયાર “બુમરેંગ જેવો છે.
જો તમે બીજાને ધિક્કારશો, તો તમે તિરસ્કારને પાત્ર બનશો. જો તમે બીજાને ચાહશો, તો તમને પણ બદલામાં ચાહ મળશે.
પાપમય વિચાર ગણ રીતે અનર્થકારક છે. પ્રથમ તો, વિચાર કરનારના મનને ઇજા કરે છે. બીજું જેના સંબંધી ખરાબ વિચાર કર્યો હોય તેને નુકસાન કરે છે; છેલ્લે, તે આખું વાતાવરણ કલુષિત કરી બધી મનુષ્યજાતિનું અહિત કરે છે. - જો તમારા મનમાં વેરઝેરના વિચારો કોઈના પ્રત્યે કરશો તો ખરેખર તમે તેના ખૂનનો જ પ્રયાસ કરો છો. સાથે સાથે તમારા પોતાના પણ ખૂની છો, કારણ કે તે વિચારો પાછા ફરી તમારો જ ઘાત કરશે.
જો પોતાના મનમાં પાપી વિચારોને જ આશ્રય આપશો તો તમારું મન ચુંબકની બેઠે બીજાઓના પાપી વિચારોને જ આકર્ષશે એટલે મૂળ વિચારો વધારે પાપમય બનશે. ' મનોમય અંતરિક્ષમાં પ્રસરેલા દુષ્ટ વિચારો તેને ગ્રહણ કરનાર મનને ઝેરી બનાવે છે. કોઈ એક આવા વિચારનું રટણ કર્યા કરવાથી તેના મનને દુષ્ટતા આકરી લાગતી નથી. તેથી આવા વિચાર કરનારા માણસ ક્રમે ક્રમે તેવું કાર્ય કરવા પ્રેરાય છે. - ૧૪. વિચારો અને સમુદ્રનાં મોજાં
વિચારો સમુદ્રના મોજાં જેવા છે. તેઓ અસંખ્ય છે, તેઓને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરતાં શરૂમાં જ એકાએક અનેક મુશ્કેલીઓ ફાટી નીકળશે.