SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાને અટકાવવા માટેનું વિજ્ઞાન છે. જ્યારે વિચારની ગતિની પેલે પાર જવાય ત્યારે જ આત્માની પ્રેરક શક્તિ કામ કરે ને ત્યારે જ જ્ઞાનમય દશા પ્રાપ્ત કરી શકાય. આંખના એક પલકારામાં જગતને સર્જવાની તેમ જ તેનો લય કરવાની શક્તિ વિચારમાં રહેલી છે. જીવના પોતાના જ વિચાર કે સંકલ્પ અનુસાર મન પોતાનું જગત સર્જે છે. આમ, મન જ સંસાર ઉત્પન્ન કરે છે; (મનોમાત્ર જગત્, મન:કલ્પિતમ્ જગત્). મનોવિલાસથી કલ્પ જેટલો સમય ક્ષણરૂપ બને છે. ક્ષણ કલ્પ સમાન દીર્ઘ બને છે. જેમ એક સ્વપ્ર પોતાની અંદર બીજું સ્વપ્ન ખડું કરે છે, તેમ અદશ્યમાંથી દશ્ય વસ્તુઓ ઉત્પન્ન કરે છે. ૨૨. વિચારો, તેનાથી ઉત્પન્ન જગત ને કાલાતીત સત્ય મન એ સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. તેને હજારો ફણગા, કૂંપળો, ડાળીઓ, ફૂલ ને ફળ આવે છે. જો તમે વિચારોનો નાશ કરી શકો તો જ તમે સંસારરૂપી વૃક્ષને એકદમ કાપી શકો. જેમ જેમ વિચારોનો પાદુર્ભાવ થતો જાય તેમ તેમ તેમનો નાશ કરતા જાઓ. વિચારોના નાશથી મૂળ સૂકાઈ જશે ને સંસારવૃક્ષ જલદી કરમાઈ જશે. પણ આ કાર્ય સહેલું નથી. તે માટે અત્યંત ધીરજ ને સતત પરિશ્રમ જોઈએ. જો બધા સંકલ્પોનો નાશ થાય તો જ તમે આનંદના સાગરમાં મગ્ન થઈ શકો. આ સુખની દશા અવર્ણનીય છે, પણ તે જાતે અનુભવવાની વાત છે. જેવી રીતે લાકડું બળી જતાં અગ્નિ તેના મૂળ કારણમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે જ્યારે બધા સંકલ્પનો કે વિચારોનો લય થાય ત્યારે જ મન પોતાના મૂળ કારણ આત્મામાં લીન થઈ જાય છે. ત્યારે જ દેશકાલથી અબાધિત સંપૂર્ણ કૈવલ્યજ્ઞાનનો સાક્ષાત્કાર થઈ શકે. (9)— ૧૨
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy