________________
મુખ્ય મૂળ છે, તેવી જ રીતે વિચારો પર સંયમ એ જ કાયમની આબાદીનું કારણ છે. તમે પોતે જ તમારા મિત્રો કે દુશ્મન છો. શુભ વિચારો દ્વારા તમે પોતાને નહિ બચાવો તો પછી બીજો કોઈ જ ઉપાય નથી.
મન એ એક જ સર્જક છે. દરેક વસ્તુનું સર્જન મન દ્વારા જ થાય છે. તે પોતાનો સંસાર રચવાને માટે શક્તિશાળી છે. જયારે જ્યારે બાહ્ય વસ્તુઓના ગ્રા તરીકે મનનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ત્યારે ઈશ્વરસૃષ્ટિના અંગ તરીકે વિરાટ મનને સમજવાનું છે.
જયારે જયારે પ્રેમ, દ્વેષ વગેરે માનસિક કાય સંબંધી મનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યાં વ્યક્તિગત મન, જે જીવનસૃષ્ટિનું અંગ છે તે સમજવાનું છે. તે મનુષ્ય ! ખરેખરો ઈશ્વર તારા પોતાના હૃદયમાં વસે છે અને તારા શરીરરૂપી મંદિરમાં રહેલા ઈશ્વરની પૂજા કરવાનો એક માત્ર રસ્તો ઉન્નત કે ભવ્ય વિચાર છે. તારા મનની અધોગામી પ્રવૃત્તિ પર કાબૂ રાખ અને માત્ર ભવ્ય વિચારોનું સેવન કર.
જેવા વિચારો તમે કરશો તેવી જ તમારી આજુબાજુની પરિસ્થિતિ સર્જાશે. તમારા જ સંકલ્પો દ્વારા જેવું ઘડશો તેવું જ તમારું જીવન રચાશે. તમારા વ્યક્તિત્વ રૂપી ઈમારત, સંકલ્પો રૂપી ઈંટો દ્વારા રચાય છે. સંકલ્પો જ પ્રારબ્ધને નક્કી કરે છે. તમારી આજુબાજુની દુનિયા તમારા વિચારોનું પ્રતિબિંબ છે.
જેવા તમારા સંકલ્પો તેવો જ તમારો અનુભવ. તમારી પોતાની જ નિમ્ન કલ્પનાઓ તમારી ઘોર ખોદે છે. ભયના સતત વિચારોનું સેવન કરીને તમે બીકણ બની ગયા છો, માટે ખોટી કલ્પનાઓ સેવવી છોડી દો.
દુનિયાના પદાર્થો પ્રત્યે જે પ્રકારના વિચારો સેવશો તે પ્રકારની તમારા પર અસર થશે. જે વસ્તુમાં મનને તીવ્ર શ્રદ્ધા હોય તે વસ્તુની જ મનને કિંમત હોય છે. જો કે બધા મનુષ્યો એક જ વસ્તુને જોતા હોય છતાં દરેક તે વસ્તુની જુદી જુદી કિંમત આંકે છે. દરેક પોતાની માનસિક ભાવના અનુસાર વિચાર કરે છે.
સંકલ્પ એ સર્જન કરતું સાધન છે, અને મનુષ્ય જે પ્રકારના સંકલ્પ કરે છે તેવો બને છે. ચારિત્ર્ય પણ સંકલ્પનું જ બને છે. પૂર્વજન્મમાં તમે જે સંકલ્પ કર્યો હશે તે પ્રમાણે તમારો જન્મ થયો છે અને તમારું ચારિત્ર્ય એ પૂર્વકાલીન સંકલ્પોનો નિર્દેશ છે. તમારા અત્યારના સંકલ્પોથી