________________
આત્મઉત્થાન થવાને બદલે આત્માનું પતન જ થાય છે. કોઈની સાથે રહી ભોગો તરફ વૃત્તિ નહિ રાખતાં વૃત્તિને ધર્મ આરાધનામાં લગાવવી. મનુષ્યપણું મળ્યું છે તો ધર્મ આરાધના કરવાનો અવસર ચૂકી ન જવાય તેવી જાગૃતિ રાખી આગળ વધતા રહેવાનું છે. તત્ત્વ મેળવવા હમેંશાં પ્રયાસ કરતા રહેવાનું છે. ધર્મનાં ગૂઢ રહસ્યોને સમજવાનો પ્રયાસ કરતા રહેવું. નિરંતર પવિત્ર તેમજ આનંદમય જીવન જીવવાની કળા શીખવી અને તેને અનુસાર આચરણ કરી સ્વાનુભૂતિ માટેનો પ્રયાસ કરતા રહી “સ્વની ઓળખાણ કરી લેવી એ જ ભવ-કાપવાનો એક માત્ર ઉપાય છે એમ સમજી તેના માટે સમ્યફ પુરુષાર્થી બની રહેવાનું છે.
|| ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
આત્મજ્ઞાનનો પુરુષાર્થ » ૪૦ %