________________
૩૪
यथेह कालः सुखषमादिरूपः कल्पद्रुमोत्पत्तिकृदभ्युपेतः ।
बुधास्तथाऽस्याः खलु पुद्गलानामावर्तमन्त्यं प्रवदन्ति हेतुम् ॥३७॥
જેમ સુષમા વગેરે કાળ, ધરતીએ ઉગાડી શકાતી કલ્પવેલડી માટે યોગ્ય ગણાયો છે તેમ સંત-પુરુષોએ વૈરાગ્યની કલ્પવેલડી ઉગાડવાનો કાળ પણ બતાડ્યો છે.
એ છે; તે તે જીવાત્માનો ચ૨માવર્ત્તકાળ.
અનંતા પુદ્ગલાવર્તોમાં હવે જેને મોક્ષભાવ પામવા માટે એક જ પુદ્ગલાવર્ત્તકાળ જેટલું ભવ ભ્રમણ બાકી રહ્યું છે એવા જીવાત્મામાં જ આ વૈરાગ્ય ભાવનો પ્રાદુર્ભાવ થઈ શકે અન્યમાં તો કદાપિ નહિ.
कुर्यान्न कुत्रापि ममत्वभावं
સંયમને અનુપયોગી કોઈ પણ પદાર્થ ૫૨ મમત્વ-રાગ ન કેળવવો.