________________
૨૭૦
| શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી નયકર્ણિકા, શ્રી પ્રયાણનયતત્કાલોકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયનો રાસ સમકિતના
૬૭ બોલની સક્ઝાય યોગદષ્ટિની સક્ઝાય વગેરે તાત્વિક આ વિચારના પ્રાથમિક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. જ આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની
પ્રૌઢતા માગે તેવા છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણ આ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવા આ ગ્રંથો પણ આમાં જણાવ્યા છે. •
૬. ઉપર મુજબનું પાયાનું તાત્ત્વિક-શિક્ષણ મળ્યા બાદ કે શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વર આ સાધનોનો સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણા પ્રધાન જીવન આ જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિનો પરકલ્યાણમાં ઉપયોગી વિશ કરી કર્મનિર્જરાના માર્ગે જલ્દી આગળ વધી શકાય, તે માટે પર સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, જે
નહિ તો દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને આ જીવનમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાય
શુદ્ધિના સાધનો તાત્ત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં તાત્ત્વિક અભ્યાસથી દૂર જવાય, તો જીવનમાં પડેલા અનાદિકાલના સંસ્કારો માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે.
આમ છતાં ઉપર જણાવેલ બાબતોમાં યોગ્ય ગીતાર્થ