SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર કી કરી ધ્યાન રાખવું. ૩. આવશ્યક સૂત્રોના અર્થો, સામાચારીની નિર્મલતા, તેની આવશ્યક ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. મેં | ૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ આ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે. જેનાથી આત્મા સંયમ આ વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની આ સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. થી ૧. આવશ્યકક્રિયાના સૂત્રો (અર્થ સાથે) શક્ય હોય તો સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચ્ચારજય શુદ્ધિની યોગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. પર ર. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથનો અર્થ છે આ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી, રોજ તે સંબંધી યોગ્ય ઉપયોગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો. આ આખા દશવૈકાલિક સૂત્રનો યોગ ન બને તેમ હોય તો ની પણ પહેલા પાંચ અધ્યયનો, આઠમું, દશમું અને છેલ્લી બે આ ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમજ આ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનોની સઝાયો ગુરુગમથી - ધારવી અને બને તો ગોખવી.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy