________________
૨૫૬
कर्मक्षये हेतुरितीष्टमेकमैकान्तिकं साधुसमाधिसाम्यम् ।
उदाहृतास्तीर्थकरैर्विचित्रा
दिग्दर्शनायास्य परे तु योगाः ॥ २५९ ॥
સર્વકર્મોનો બુકડો બોલાવી દેવામાં જો કોઈ એક અને અમોઘ શસ્ત્ર હોય તો તે સાધુસમાધિ જ છે, આ શસ્ત્રોની ધારને તીક્ષ્ણ બનાવવા રૂપે જ તીર્થંકરદેવોએ બીજા ધર્મયોગો આરાધવાનું જણાવ્યું છે, એ બધા તો માત્ર સમાધિની દિશાના સૂચક જ છે.
श्रीशत्रुञ्जये स्वल्पमपि कृतं पुण्यं महाफलप्रदं भवति શ્રી શત્રુંજ્ય ઉપર થોડું પણ કરેલું પુણ્ય મહાફળને આપનારું થાય છે.