________________
૧૭૪
कुचद्वये चन्दनपङ्किले च स्मितप्रवाहे च मृगेक्षणानाम् । येषां न चेतः स्खलितं समाधे र्नामापि तेषां दुरितानि हन्ति ॥ १७७॥
અહો ! અહો ! તે મુનિઓને વંદન હો; જેમના નામનું પુનિત સ્મરણ પણ અમારા પાપોનો નાશ કરી નાંખે છે.
ચંદનથી ચર્ચિત્ત બનેલા મૃગાક્ષીના બે સ્તનોને સહસા જોવા છતાં, વિકારની છોળો ઉડાડતાં તેના માદક હાસ્યને જોવા છતાં આપના ચિત્તની સમાધિનું લેશ માત્ર પણ સ્ખલન થઈ જતું નથી. વંદન ! લાખ લાખ વંદન !
प्रवचने पुरुषोत्तरिको धर्म इति पुरुषः प्रमाणम् । જૈન પ્રવચનમાં પુરુષપ્રધાન ધર્મ છે માટે પુરુષને પ્રમાણ ગણવો.