________________
૯૫
चारित्रधर्मेण वशीकृताऽथ सर्वाऽपि जन्तोरिह चित्तवृत्तिः ।
शुष्काटवीत्वं प्रविहाय लीलारामत्वमेति प्रविसृत्वरश्रीः ॥ ९८ ॥
આ રીતે જીવની સમસ્ત ચિત્તવૃત્તિ ઉપર ચારિત્રધર્મ રાજે પોતાનું આધિપત્ય જમાવી દીધું.
આજ સુધી જે ચિત્તવૃત્તિ-મોહરાજના કબજામાં હોવાથી છેદાઈ ભેદાઈને ભેંકાર જંગલ જેવી બની ગઈ હતી તે હવે વિસ્તૃત શોભાવાળી બનીને ગુણોને ક્રીડા કરવા માટેનાં સુંદર મજેનાં ઉદ્યાનમાં ફેરવાઈ ગઈ !
यदाज्ञाबाह्यं तन्मोक्षांगं न भवति ।
અર્થ-જે જિનાજ્ઞા બાહ્ય અનુષ્ઠાન હોય તે મોક્ષનું અંગ બનતું નથી.
संपूर्णाज्ञाकरणं च साधोरेव भवति, नेतरस्य ।
અર્થ-સંપૂર્ણ આજ્ઞાનું પાલન સાધુને જ હોય,
બીજાને નહિ.