________________
(૫૩)
**********************************************
પડતું) તેથી તે ખેદ વિનાના સુખને ઉત્પન્ન કરે છે એ વાતમાં કશો જ સંદેહ નથી. કારણ કે, કારણને અનુસાર કાર્ય હોય છે. ૨૬
પરબત ગરબ શિકર ચડ્યો, ગુરુકું ભી લઘુ રૂપ;
કહિ તિહાંપ અચરજ કિશ્યો? કથન ગ્યાન અનુરૂપ. ૨૭ ગવરૂપી પર્વતના શિખર પર ચઢેલો પ્રાણી ગુરુઓને પણ લઘુ સ્વરૂપે કહે (ગણાવે) તેમાં શું અચરજ છે? કારણ કે-કથન જ્ઞાનને અનુરૂપ હોય છે. ૨૭
આઠ શિખર ગિરિરાજ કે, ઠામે વિમલાલોક;
તો પ્રકાશ સુખ ક્યું લહે? વિષમ માનવશ લોક. ૨૮ માનરૂપી ગિરિરાજના આઠ શિખર જ્ઞાનના નિર્મળ પ્રકાશને રોકે છે. તેથી વિષમ એવા માનને વશ એવો લોક, પ્રકાશનું સુખ કેવી રીતે પામે ? અર્થાત્ ન પામે. ૨૮
માન મહીધર છેદ તું, કર (રિ) મૃદુતા પવિધાત;
જ્યુ સુખ મારગ સરલતા, હોવિ ચિત્ત વિખ્યાત. ૨૯ નમ્રતારૂપી વજનો ઘા કરી તું માનરૂપી મહીધર-પર્વતને છેદી નાખ, જેથી સરળતારૂપી સુખનો માર્ગ તારા ચિત્તમાં પ્રતિષ્ઠા પામે-સ્થિર થાય. ર૯ - મૃદુતા કોમલ કમલથે, વજ સાર અહંકાર;
છેદત હ ઇક પલકમેં, અચરજ એહ અપાર. ૩૦ - નમ્રતા. તે કમળથીય કોમળ છે અને અહંકાર વજ જેવો કઠિન છે. છતાંય તે નમ્રતા એક પલકારામાં અહંકારને છેદી નાખે છે. આ મહા આશ્ચર્ય છે. ૩૦
વિકસિત માયા બલિ ઘર, ભવ અટવી કે બીચ;
સોવત હે નિત મૂઢ નર, નયન ગ્યાન કે મીચ. ૩૧ આ ભવઅટવીની વચમાં જ્યાં વિકસિત એવી માયારૂપી વેલડીનું ઘર છે, , ત્યાં મૂઢ પુરુષ પોતાના જ્ઞાનરૂપી નયનોને મીંચીને હંમેશ સૂઈ જાય છે. ૩૧