________________
(૧૪)
जह संझाए सउणाणं, संगमो जह पहे अ पहिआणं ।
.
સયળાનું સંનોનો, તહેવ ઘુળમંજુરો નીવ ! "રૂટા હે જીવ ! જે રીતે સંધ્યા સમયે પક્ષીઓનો અને માર્ગમાં મુસાફરોનો સંયોગ-સમાગમ ક્ષણિક છે; તેમ સ્વજન-પરિવારનો સમાગમ ક્ષણિક
છે. ૩૮
निसाविरामे परिभावयामि, गेहे पलित्ते किमहं सुयामि । डज्झतमप्पाणमुविक्खयामि, जं धम्मरहिओ दिअह्य गमामि ॥ ३९ ॥
****
રાત્રિના વિરામ સમયે જાગતો એવો હું વિચાર કરું છું કે - બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માની હું કેમ ઉપેક્ષા કરી રહ્યો છું અને ધર્મરહિત દિવસો કેમ ગુમાવી રહ્યો છું ? ૩૯
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥
જે જે રાત્રિઓ પસાર થાય છે, તે પાછી આવતી નથી. અધર્મ કરનાર આત્માઓની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ૪૦
जस्सत्थि मच्चुणा, सक्खं, जस्स वत्थि पलायणं ।
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया ॥४१॥
જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકીશ એમ માને છે અથવા હું મરીશ નહીં એમ જાણે છે; તે જ સુખશીલિયાપણું ઇચ્છી શકે. ૪૧
दंडकलिअं करिंता, वच्चंति हु राइओ य दिवसा य ।
आउसं संविलंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥
દંડ દ્વારા કોકડી ઉપરથી દોરાને ચાકડા ઉપર વીંટાળવાની જેમ દિવસ અને રાત્રિઓ આયુષ્યને ઓછું કરે છે. એ ગયેલા દિવસો કે રાત્રિઓ પાછાં ફરતાં નથી. ૪૨