________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૯
T;
ચક્રી એક પૃથવીએ સાર, ઘણી નારી કરે શણગાર;
સુપુરુષ એક વંશમાં હોય, બહુને સોહ ચઢાવે સોય. ૧૪૩ રૂષભદેવ દેહ સુંદર ઘાટ, દીપાવ્યા અસંખ્યાતા પાટ;
કલિયુગ માંહિ થયો જગ હિર, પૂર્વજતણું વધાર્યું નીર. ૧૪૪ અજુબળી પેઢી બેતાલ, જયા ભલા કુલ એવા બાલ;
એકનું કોઈ ન જાણે નામ, એક વડાની ખોએ મામ. ૧૪૫ એક ન લહે વડુઆનો તાત, કરણી વિણ કુણ લહે અવદાત ?
કરણી હીર તણી જગ બહુ, જાણે નામ વડાનાં સહુ. ૧૪૬ ઓશવંશ દીપાવ્યો સહી, સાંભર્યા પુરુષ ગયા જે વહી;
સારિંગ ઓશવંશમાં હોય, નવ લખ બંધિ મુકાવ્યા સોય. ૧૪૭ કાઢ્યો સંઘ શત્રુંજ ગિરનાર, હેમટકો લાહ્યો બહુ વાર;
સમરો ઓશવંશ શિણગાર, કીધો તેણે પનરમો ઉદ્ધાર. ૧૪૮ શાહ કરમાને સહુએ નમો, તિણે ઉદ્ધાર કર્યો સોળમો;
કળિ કાળે સોની સંગ્રામ, શીળે અંબ ફળ્યો અભિરામ. ૧૪૯ માગ્યો મેહ વૂઠો અતિ ઘણો, ઓશવંશમાંહિ એ નર સુણો;
ઓશવંશમાં કુંઅરો હોય, સૂધી સમકિતધારી સોય. ૧૫૦ સત્યશીળ સુબુદ્ધિ સંતોષ, સાતમી જનનો કરતો પોષ;
સુખીઓ સોમ પ્રકૃતિનો ધણી, ક્રોધ લોભ નાંખ્યા અવગણી. ૧૫૧ માયા માન જસમાંહિ નહિ, પરને અવગુણ ન કરે કહિ;
વ્યવહાર શુદ્ધ પાળે વાણીઓ, જીવદયામાં ધુરિ જાણીઓ. વરે વડાઈ તે ઘર જાણિ, અમૃત સરિખી બોલે વાણી. ૧૫૨
વચન, વસ્ત્ર, રૂ૫, વિદ્યા અને વિપુલ ધન આ પાંચ ગુણથી પુરુષ શોભે છે. વળી વિનય, વિવેક, વિદ્યા, વિપુલ લક્ષ્મી અને વૈરાગ્ય – આ પાંચ વવા જેના ઘરમાં વધતા હોય તેના ઘરમાં ઘણું સુખ થાય છે, અને બધું દુઃખ દૂર થાય છે.
કુંઅરો સાહ ઓશવાલ જિનેશ્વરના ધર્મને આરાધનાર, પંડિત, વાચાળ અને રૂપવંત હતા. રાજા પણ તેમને બહુ માન આપતા હતા.
વળી વણિકના કુલનો એવો મહિમા છે જેના પ્રભાવે માણસ ન્યાયનીતિ પાળનાર, સદાચારી, દાન દેનાર, દુર્ભિક્ષને પાર ઉતારનાર, સીધા રસ્તે ચાલનાર બને છે. આમ વણિકના કુલનો મહિમા બતાવી ફરી પાછા ઓશવંશમાં થયેલા છે તે પુરુષોને કવિ યાદ કરે છે.
સારિંગશાહ, સમરાશાહ, કરમાશાહ, જગડુશા, ભીમ શેઠ તથા હેમાશા-ખેમાશા, અંબડ અને જગપાલ – આવા બધા વિખ્યાત પુરુષો આ વંશમાં થઈ ગયા છે. પા. ૧૪૪.૧ દીપાવતો સંખ્યાતા ૧૫૨.૨ વરબાઈ ટિ. ૧૪૬.૧ અવદાત = વૃત્તાન્ત