________________
૩૩૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સાતમો મદફર ચાલી ગયો, મહાસંગ્રામ તિહાં કણિ થયો;
પોતે પાતશા લેઇ તરઆરિ, કટિકમાંહિ કરી મારામારી. ૨૮૯૨ સબલ જુજીઓ તેણે ઠાર, વઢતાં ભાગી તિણ તરુઆર;
કટિકમાંહિ સદેહ સહિ હૂઓ, મદફર જીવે છે કે મુઓ ! ૨૮૯૩ દીઠો નહિ જ્યારે સુલતાન, ત્યારે ઓસર્યા હબસીખાન;
પાતશા પાછો જોયે ફરી, પલાણ તણી પરિ સહૂએ કરી. ૨૮૯૪ ભાગો મદફર તેણીવાર, મીરજાખાન દુઓ જયકાર;
હવી વાત અકબરશાહ જ્યાંહિ, ભાખ્યા યાર કમલખ ત્યાંહિ.૨૮૯૫ મહમુંદ પાતશા પહેલો દ્વારે, ખુરાનદાન માર્યો પેજારે;
દૂરિ કરી રાખ્યો ચાકરી, તેણે મહમુંદ ગળે દીધી છરી. ૨૮૯૬ બીજો કમલખ અતિમિતખાન, ગુજ્જર પાતશા ખોયું માન;
દેઈ ગુજરાતને મુનિ મિળ્યો, આપ વરગટી પાછો વળ્યો. ૨૮૯૭ ત્રીજો કમલખ કુતબદીનખાન, અંતકાલે તસ નાઠી સાન;
વેરી મદફર વચને મિળ્યો, તો તે માનવગતિથી ટળ્યો. ૨૮૯૮ ચોથો કમલખ મદફરશાહ, આપ લડ્યા લશકરમેં જાય;
આપ રહ્યા નહિ શિરપે જોય, દામ દુની દોલત વે ખોય. ૨૮૯૯ ગઈ ગૂજરાત મુગલને હાથે, નાઠો મદફર છોછિ સાથ;
સારું થયું સુહાણાનું ધ્યાન, સાચું જગહાં હીરનું જ્ઞાન. ૨૯૦૦ ગુરુનો ભગત અસ્યો નહિ કોઈ, વિજયદાનસૂરિ મોટો હોય;
એકદા કારણ ઉપનિ અતિ, લિખે લેખ તિહાં ગછપતિ. ૧૯૦૧ ઉતાવલા આવો શિષ્ય હીર ! વાટે નીકળી પીજો નીર;
વાંચે કાગળ જગગુરુ જામ, સજ થયા ચાલેવા તા. ૨૯૦૨ ચોમાસાનો છઠ તપ હોય, ન કરે પારણું ગછપતિ સોય;
કહે બાહેર જઈ કરસ્ય આહાર, રહેતાં ન રહે મુજ આચાર. ર૯૦૩ શ્રાવક સાધ કહે સહુ અતિ, કીજે પારણું તુહ્મ ગછપતિ; હર ન માને હુઆ એકમના, મોટી તે જગમાં આગન્યા. ૨૯૦૪
(ગાથા – સંબોધસત્તરિમાની) आणाइ तवो आणाइ संयमो तहय दाणमाणाए;
आणारहियो धम्मो, पलाल पूलव्व पडिहाई. ॥ १॥ પા. ૨૯૦૨.૧ ગુરુ (શિષ્યને સ્થાને) ટિ. ૨૮૯૨.૨ તરુઆરિ = તરવાર, ૨૮૯૩.૧ જુજીઓ = ઝૂઝયો, લડ્યો. ૨૮૯૪.૨ પલાણ = પલાયન. ૨૮૯૫.૨ કમલેખ = બદનસીબ ? ૨૯૦૦.૧ છોછિ = છોડી (?) 9.9 આણાઈ = આજ્ઞાથી, તવો = તપ.