SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીર વચન દીપાવતો રે, જેસિંગ પુરુષ ગંભીર; જેણે ગચ્છ સંઘ વધારીઓ રે, ગયો ન જાણ્યો હીર. ૨૫૫૪ બિંબ પ્રતિષ્ઠા બહુ થઈ રે, બહુ ભરાયાં રે બિંબ; શ્રીજિનભુવન મોટાં થયાં રે, ગછ વાધ્યો બહુ લંબ. ૨૫૫૫ ગુર્વાલિ : ગચ્છનાં ગુણ-જ્ઞાનને વધારતાં, ચઢિયાતાં કામો કરતાં વિજયસેનસૂરિએ સકલ પાટને દીપાવી અને હીરગુરુનું નામ રાખ્યું. ભગવાન મહાવીરની ૫૮મી પાટે હીરસૂરિ થયા. પ્રથમ શ્રી મહાવીર થયા. તેઓ મોક્ષે પધાર્યાં પછી તેમની પાટે સુધર્માસ્વામી (૧) થયા. તેમની પછી જંબૂસ્વામી (૨) થયા; જેમણે આઠ કન્યાઓ અને નવ્વાણું ક્રોડ સોનૈયાનો ત્યાગ કરી દીક્ષા લીધી. ત્રીજી પાટે પ્રભવસ્વામી (૩) થયા. તેમણે પાંચસોની સાથે દીક્ષા લીધી. આવ્યા હતા તો ધનની ચોરી કરવા, પણ દેવે તેમને ત્યાં થંભાવી દીધા. તે જંબૂને કહે છે તમારી બે વિદ્યામાંથી એક આપો. જંબૂ કહે ‘એવી કળા શા કામની ? મારે મન તો ધર્મકલા વસી છે. વૈભવ, સ્ત્રી, ભૂષણ અને કોઠાર છોડીને સંયમ લઈશું.' પ્રભવ કહે છે, ‘આ કેવો વિયોગ ! આવા ભોગ તું શા માટે છોડે છે ?’ જંબૂ કહે છે, ‘હે પ્રભવ, કાન દઈને સાંભળ, આ સંસારસુખ તો મધુબિંદુ સરખું નહિવત્ છે અને દુઃખનો પાર નથી. જીવ એનાથી ચાર ગતિમાં ભમે છે.' આ વચન સાંભળી પ્રભવ કહે છે, “આ નવરંગ સ્નેહને તમે કઈ રીતે મૂકશો ?” જંબૂ કહે છે “આ સંસારમાં આવાં સગપણ તો અનંતીવાર થયાં છે.” પ્રભવ કહે છે, “તમારે સંતાન નથી તો તમારા મૃત્યુ પછી પિંડદાન કોણ કરશે ?” ત્યારે જંબૂકુમારે મહેશ દત્તની વાત કહી સંભળાવી. એનો પિતા મરીને પાડો થયો. તેને પોતાને ઘેર લાવી, મારીને એનાથી જ શ્રાદ્ધ કર્યું. અને એની માતા (જે મરીને કૂતરી થઈ હતી તે) પણ તે પાડાનાં હાડકાં ચાટે છે. તો આ રીતે પૂર્વજ તૃપ્ત કેવી રીતે થાય ? પ્રભવ આ વાત સમજ્યો અને મનમાં વૈરાગ્યભાવ જાગ્યો. ઇન્દ્રકુમાર જેવા દેખાતા જંબૂકુમાર ઇંદ્રભુવન જેવા આવાસનો અને વૈભવનો ત્યાગ કરે છે. અને હું અછતા ભોગની ઇચ્છા કરું છું. મને ધિક્કાર હો. તે જઈને જંબૂને પગે લાગ્યો. પાંચસોની સાથે મુનિ બન્યો. અને જંબૂસ્વામીની ત્રીજી પાટે પ્રભવસ્વામી થયા. ચોથી પાટે શય્યભવસૂરિ (૪) થયા; જેમણે મુક્તિની વાટ બતાવી. તે પછી યશોભદ્ર (પ), સંભૂતિવિજય (૬), થૂલિભદ્ર (૭) થયા. સ્થૂલિભદ્રે ઋદ્ધિ અને રમણીનો ત્યાગ કર્યો. તેમની પાટે મહાગિરિ (૮), સુસ્થિતસૂરિ (૯), ઇન્દ્રદિશ (૧૦), શ્રીદિશ (૧૧), સિંહગિરિ (૧૨), વજસ્વામી(૧૩) થયા. તેમનો વૃત્તાંત એવો છે કે ધનગિરિ શ્રાવકે પોતાનો પુત્ર માતાના ઉદરમાં હતો ત્યારે દીક્ષા લીધી. પછીથી પુત્ર વજ્રસ્વામીનો જન્મ થયો. તેમને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેમણે સંયમ લીધેલો. જન્મ થયા પછી તેઓ સતત રહ્યા જ કરે છે. આનાથી માતા વાજ આવી ગઈ. એકવાર સિંહગિરિ મહારાજ ત્યાં આવ્યા. તેમની સાથે ધરિ મહારાજ (વજસ્વામીના સંસારી પિતા) પણ છે. ગોચરીની
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy