________________
૨૮૨
શ્રાવક કવિ ઋષભદાસક્ત
સલ લોક તિહાં ગયા જોવા, ફળ્યા દીઠા અંબ રે;
ધસીઅ લોક લીયે કયરી, વાત હુઈ જે અસંભ રે. હીર૦ ૨૪૮૨ અમદાવાદ પાટણ ખંભાયત, મોકલી કયરી ત્યાંહિ રે;
ચમતકાર બહુ પુરુષ પામ્યા, આછેરો કલિ માંહિ રે. હર૦ ૨૪૮૩ શેખ અબજલફજલ પાસે, મોકલી કયરી સાર રે;
દેખાડી જઈ શાહ અકબર, હરખ્યો તામ અપાર રે. હીર૦ ૨૪૮૫ ધન્ય જીવ્યું જગતગુરુનું, ર્યો જગ ઉપગાર રે;
મરણ પામ્ય ફલ્યા આંબા, પામ્યો સુરઅવતાર રે. હીર૦ ૨૪૮૬ શેખ અવજલફજલ અકબર, કરે ખરખરો તામ રે;
અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે ! હર૦ ૨૪૮૭ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે;
ખેર મહિર દિલ પાક નાંહિ, ખોયા આદમીઅવતાર રે. હીર૦ ૨૪૮૮ સફતિ કરિ ગુરુ હીર કેરી, કરી કમાઈ ખાસ રે;
નામ રહ્યા ઉસ દુનિયા માંહિ, બેઠા ખુદાય કે પાસ રે. હીર૦ ૨૪૮૯ પ્રસંસી ઘે ભોમિ ઝાઝી, જિહાં દહિનનો ઠામ રે; સિદ્ધસેનને વચને વિક્રમ, શેત્રુંજે ઘે બાર ગામ રે. હીર૦ ૨૪૯૦
હીરગુરના ગુણને મનમાં ધરીને ઘણા મુનિઓએ અઠ્ઠમ કર્યો. અને ચોથા દિવસે પારણું કર્યું. વિમલહર્ષ ઉપાધ્યાય અને સામવિજય મુનિ એકબીજાની સામે જોઈ કહે છે કે હીરગુરુ વિના આપણી મુનિમંડળી શોભતી નથી; ચંદ્ર વિનાના તારા, મેઘ વિનાની પૃથ્વી, પુરુષ વિનાની પ્રેમિકા ન શોભે તેમ. પણ જીવને જવાનું જ છે, કોઈ બેસી રહેતું નથી. આ શાશ્વત ભાવ છે એમ વિચારીને મન વાળે છે. શોકનિવારણ અર્થે. જેમ ઋષભદેવની સ્મૃતિમાં ભરતરાજાએ તેમ લાડકીબાઈએ (તે અગ્નિદાહની ભૂમિ પર) શૂભ કરાવ્યો. ત્યાં હીરગુરુનાં પગલાં સ્થાપન કરાવ્યાં. એમ અંશતઃ એનાથી સનાથ બને છે. રાત્રે ત્યાં દેવતાઓ આવી નાટક કરે છે. ત્યાં વાડી-વનમાં ચંપક, મોગરો, જાઈ વાવે છે. અને છોડને બેસતાં ફૂલોથી પાદુકાની પૂજા કરે છે.
મહિમાવંત ગુરુજી સૌની ઈચ્છા પૂરી કરે છે. અને સૌનાં દારિત્ર્ય, રોગ, વિયોગને દૂર કરે છે.
(ઢાલ ૭ – એમ વિપરીત પ્રરૂપતા. એ દેશી) હીર તણા ગુણ મને ધરી, અઠમ ઘણા રિષિ કરતા રે; આદરતા રે ચોથે દિવસે પારણું એ.
૨૪૯૧ ટિ. ૨૪૮૨.૨ અસંભ = અસંભવિત ૨૪૮૩.૨ અછેરો = આશ્ચર્ય, અચંબો ૨૪૮૯.૧ સફતિ
(?) = સ્તુતિ.