________________
શ્રી હરવિજયસૂરિરાસ
૨૭૩
પૃથ્વીકાય માંહિ બેઠો સહી, ત્યાહાં મુજ દેહની પ્રતિમા થઈ;
જલનો જીવ હુઓ કુશ કાલ, તિહાં પ્રતિમાની હુઈ પખાલ. ૨૪૦૬ એમ ભવિ ભમતાં વાર અનંત, ધર્મોપગરણ દેહનું હવંત;
અનુમોદું તે પણિ સહી, ભલી ભાવના રાખું ગ્રહી. ૨૪૦૭ જીવ ભમતાં ચિહું ગતિ લહી, સબલ વેદના તિહાં કણિ થઈ;
નરગમાંહિ તો ચાલ્યો વહી, ઘણી વેદના તિહાં કણે સહી. ૨૪૦૮ માનવમાંહિ ખમેવો માર, પરસેવો નિ મસ્તગિ ભાર;
પશુમાણ ઘણા પણિ હરે, સ્વાનાદિક બહુ ભૂખે મરે. ૨૪૦૯ દુખ દિસે બહુ સુરગતિમાંહિ, ખાલી ઘાલ્યા સાસા માંહિ;
અઢું વિચારી થિર મન કરે, એવી ભાવના હઅડે ધરે. ૨૪૧૦ આરાધના અણસણ નર કરે, જેહથી સુરગતિ શિવગતિ વરે;
પુરુષ કરે જે પંડિતમરણ, રાખે તે નવકારનું સરણ. ૨૪૧૧ કહેતાં નિરમલ હોયે આપ, ટાલિ સાત સાગરનું પાપ;
આખું પદ ઈચ્છામેં ગણે, પચાસ સાગરપાતિગ હશે. ૨૪૧૨ આખો જે ભાખે નવકાર, તેહના પુણ્ય તણો નહિ પાર; પંચસયાં સાગરનું કર્યું, પાતિગ સહી તેણે અપહર્યું.
૨૪૧૩ એહવો જગડાં શ્રીનવકાર, હરમેં હર ગણે નવકાર;
આરાધનાપદ સવિધિ કહી, નિશ્ચલ મને આરાધે સહી. ૨૪૧૪ દસે પ્રકારે આરાધના કરે, પાપ ર્યા વદને ઉચરે;
અરિહંતસિદ્ધપ્રભુની સાખે, કહિ પાપ મન નિશ્ચલ રાખે. ૨૪૧૫ પાપકર્મ સુર સાખું કહી, આતમ સાખે નર નિંદે સહી;
એમ આલોતાં પાતિગ જાય, ભારવાહી પરિ હલૂઓ થાય. ૨૪૧૬ લાજે અભિમાને નવિ કહે, જ્ઞાનમાઁ મનહાં શલ્ય રહે;
આલોઈ ન સકે ગુરૂ કને, ચિહું ગતિનાં દુઃખ હોયે તને. ૨૪૧૭ શાસ્ત્રશાપવિષ જે નવિ કરે, અસ્ય શલ્યમરણ દુઃખ તેથી શિરે;
દુર્લભબોધિ તે નર થાય, અનંત સંસારી તે કહેવાય. ૨૪૧૮ તે કારણે સશલ્ય ન મરો, રખે કોય નીઆણું કરો;
ઋષભદેવ જિનાદિક જેહ, નવ નીઆણાં વારે તેહ. ૨૪૧૯ પા. ૨૪૦૬.૧ પેઠો સહી ૨૪૧૮.૧ સરે (શિરે'ને બદલે) ૨૪૧૮.૨ નર થાય (કહેવાયને
બદલે). ટિ. ૨૪૦૮.૧ ચિહું ગતિ = ચાર ગતિ. દેવ, મનુષ્ય, નારકી, તિર્યચ. ૨૪૧૮.૧ શલ્યમરણ =
જે મરણ સમયે કાંઈ ને કાંઈ ઈચ્છા, વાંછનાનું શલ્ય રહી જાય તે. ૨૪૧૮.૨ દુર્લભબોધિ = સમ્યકત્વ પાળવું જેને અતિ દુર્લભ છે તે. ૨૪૧૯.૧ નીઆણું = મૃત્યુ પહેલાં તપનું ઇચ્છિત ફળ પાગવું તે.