________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૬૭
સલ જંતુ ખમાવું સહી, તો ખમાવો મુજ ગહિગહી;
મૈત્રી ભાવિ સુખ અનંત, વઈર કરતાં દુખ લહિ જત. ૨૩૪૮ જગ સઘળાનિ વાંછું સુખી, કોઈ મ થાસ્યો જગમાં દુઃખી;
કર્મ થકી મુકાજો સહી, મુગતિપંથ પામો ગહિરહી. ૨૩૪૯ એણી પરિ ખામણ ખામે હીર, સાધ તણે નયણે વહે નીર;
હીર કહે મ મ રૂઓ મુદા, એહ પંથ ચાલે છે સદા. ર૩૫૦ અથિર દેહ થિર કોહોની રહી, હરિ ચક્રી જિન ચાલ્યા વહી; વાસુદેવ બલદેવા જેહ, આયૂ ખૂટતે ચાલ્યા તેહ.
સ્થા તેહ
૨૩૫૧ તેણે કારણે મ મ રોઓ કોઈ, હું ખમાવું છું સહુ કોઈ;
વિમલહર્ષ મુનિ સોમ સુજાણ, હું ખામું તુધ્ધ પંડિત જાણ. ૨૩પર બોલ્યો સોમવિજય માહાયતિ, સ્યાનું ખામો છો ગછપતિ; | છોરું પરિ પાલ્યા અમ સદા, જન્મ લગિ દૂહવ્યા નહિ કદા. ૨૩૫૩ હર કહિ સાંભલિ નર સાર, ખમાવવાનો છે આચાર;
અપ્રીતિ કહિનિ ઊપજી હોય, હું ખાવું કર જોડી સોય. ૨૩૫૪ સકલ જંતુલ્યું ખામે આપ, વોસરાવે અઢારે પાપ;
હિંસા જૂઠ પરધન લીધ, મૈથુન ધનની મૂછ કિધ. ૨૩૫૫ ક્રોધ માન માયા ને લોભ, એ ચ્યારેનિ દીધી થોભ; પ્રેમ દ્વેષ કલેસ કલંક, ચાડી કરતાં મોટો વંક.
૨૩પ૬ રતિઅરતિના દોષ છે ઘણા, અવરણવાદ બોલ્યા પર તણા;
માયામૃષા નિ મિથ્યાત, વોશિરે અઢારે પાપની વાત. ૨૩૫૭ આરિ સરણ મનમાંહિ ધરું, પહિલું સરણ અરિહંતનું કરું; * અરિહંત તે હણતા કર્મ આઠ, જે પામ્યા પંચમગતિ વાટ. ૨૩૫૮ બીજું સરણ કીજે સિદ્ધ તણું, અનંત સુખ જસ વર્ણન ઘણું;
અનંત બલ નિ જ્ઞાન અનંત, વીર્ય અનંત સિદ્ધનિ હવંત. ૨૩૫૯ ત્રીજું સરણ કીજે સાધનું, સમકિત સીલ સૂધ જેહનું;
પંચમહાવ્રત પાલણહાર, પંચ સુમતિ ત્રિય ગુપતિ અપાર. ૨૩૬૦ ચોથું સરણ કીજે ધર્મનું, જ્ઞાની સરૂપ કહે જેહનું
જીવઘાત અલિ ચોરી નહિ, પરદારા જિન વારે તહિં. ૨૩૬૧
ટિ. ૨૩૫૮.૨ કર્મ આઠ = જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ,
ગોત્ર અને અંતરાય એ આઠ ક. ૨૩૬૦.૨ પંચ સુમતિ = પાંચ સમિતિ - ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિકMવણા અને પારિષ્ઠાપનિકા સમિતિ: ત્રિય ગુપતિ = ત્રણ ગુતિ - મનોગુમિ, વચનગુમિ, કાયગતિ. ૨૩૬૧.૨ અલિ = જૂઠ, અસત્ય.