________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૩૭
મસ્તક નમાવે છે.
આ પ્રમાણે ગુરુએ સઘળાં સ્થળોની સ્પર્શના કરીને યાત્રા કરી. ત્યાંથી પુંડરીક સ્વામીના દહેરે ગયા. ત્યાં એમણે સૌને ધર્મકથા સંભળાવી. તેઓ “શત્રુંજયમાહાસ્ય' વાંચે છે. અન્ય સ્થાનોએ અન્ય તીર્થો પણ છે પણ જ્યારે પૂર્વનાં કોટિ પુણ્યો ઉદયમાં આવે તો અહીં આ ગિરિવરનાં દર્શન થાય. અહીં નાગ અને મોરને જરાય વેર નથી. ચક્રવર્તીની ઋદ્ધિનો એ આપનાર છે, અહીં દારિદ્રય અને રોગ નાશ પામે છે, અને આ શત્રુંજય ચઢતાં પગલે પગલે પાપો દૂર થાય છે. સૂરજકુંડ અને શેત્રુંજી નદીનાં નીરમાં સ્નાન કરનારની કાંતિ એ વધારે છે, અહીં વસતાં પશુપંખીઓને પણ પ્રાયઃ ભગવાન ભદ્રક હોય એમ કહે છે, એ સિદ્ધગતિ અને દેવગતિનો આપનાર છે. અહીં (ચોવીસમાંથી) ત્રેવીસ તીર્થંકરો (નેમિનાથ સિવાયના) સમવસર્યા હતા. કાંકરે કાંકરે અનંત આત્માઓ અહીં મોક્ષે ગયા છે. શત્રુંજયગિરિના મહિમાનો અંત નથી.
આ સાંભળીને પોતે ચેતે, અને યાત્રા કરીને પાપ કરવાનું છોડે. જેની પાસે ધન છે તેઓ અહીં સત્કાર્ય કરે. મંદિર બંધાવી નામ રાખે. જેની ગાંઠે ધન છે તે સાવધાન થઈ આ તીર્થની વાટે ખૂબ દાન આપે. સામાન્ય જનો પણ જો યથાશક્તિ દાન આપે તો થોડું દ્રવ્ય પણ વધુ ફળદાયી બને. સામાન્ય માનવી એક શેર ખાંડ જળમાં નાખી એ બીજાને પિવડાવે તો એવું પુણ્ય પામે કે જે બાથમાં પણ ન આવે, અર્થાત્ અઢળક પુણ્ય પામે.
(દુહા) ચઢતાં શેત્રુંજે તલહટી, મોટા મોતી વધાય; નબલ વધાવે ચાવલે, માત્ર કરવા જાય.
૨૦૭૯ ત્રિષ્ય શુભ જિહાં તલહટી, એક તો આદિલ પાય; ધનવિજયના ગુરુ તણા, પગલાં છે તેણિ ઠાય.
૨૦૮૦ પહિલે ટૂંકિ જઈ ચઢે, જિહાં છે ધોલી પરવ; તિહાં બેસી ગુરુ સંચરે, પુંઠિ માનવ સરવ.
૨૦૮૧ વનમાલા ફરતી બહુ, અંબા ચંપક જાય;
એવી ઓષધી ઉપરિ, હેમ રજત જેણિ થાય. ૨૦૮૨ બીજિ ટુંકિ આવીઆ, સાકર પરબ સુસાર; સાકર ઘોલી જલ દીયે, પામે ભવનો પાર.
૨૦૮૩ ત્રીજિ ટુંકિ આવીઆ, જિહાં છે કુંડ કુમાર; ધન શુભ થાનિક ખરચીલું, ધન્ય તેહનો અવતાર.
વતાર. ૨૦૮૪
૨૦૮૪ ચોથિ ટૂંકિ આવીઆ, જિહાં હડો હિંગલાજ;
દોહોલ ચઢતાં ક્રમ દહે, પામે મુગતીનું રાજ. ૨૦૮૫
ટિ. ૨૦૦૯.૨ ચાવલ = ચોખા ૨૦૮૫.૨ ક્રમ દહે = કર્મો બળી જાય