________________
૨૨૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વિદ્યા-કીર્તિ ચોમેર પ્રસરી. અકબરશાહે તેમને સંભાર્યા અને મેવડાને મોકલ્યા. તેઓએ આવી હીરગુરુને ચરણે વંદના કરી. અને બાદશાહનું ફરમાન આપ્યું. અકબરશાહે લખેલી વિનંતી હીરસૂરિ વાંચે છે. “તમે વિરાગી છો, પણ અમે રાગી છીએ. તમે બધી વસ્તુઓ ત્યજી છે. તમે અમને સંભારો નહિ, પણ અમે તમને ભૂલતા નથી. આપ કંઈ કામ લખી જણાવો જેથી અમારા દિલને ખુશી થાય. વિજયસેનને અહીં મોકલવાનો તમે અમને કોલ આપ્યો હતો. તો જો તમારા મનમાં આવે તો તેમને મોકલજો. અમને ઘણો આનંદ થશે.'
( પત્ર વાંચીને બહુ આનંદ થયો નહીં. થયું કે જેસિંગ (વિજયસેન) કઈ રીતે જશે ? ત્યારે વિજયસેને કહ્યું કે “હે ગુરુજી, શા માટે દિલગીર થાવ છો ? અકબરને મળવાથી સારાયે દેશમાં તમારી નામના થશે. પિતાના જીવતાં – આપની હાજરીમાં સારાં કર્મો થશે. ભાગ્યનો મર્મ તો તમે જાણો જ છો. મારા મસ્તકે આપનો હાથ મૂકો જેથી હું ઘણો જસવાદ પામું.”
આ રીતે હીરસૂરિને સંતોષ પમાડી, ત્રણ પ્રદક્ષિણા દઈ, ગુરુનાં ચરણ વંદીને સારું મુહૂર્ત જોઈ વિજયસેનસૂરિએ આનંદસહ પ્રયાણ કર્યું (સંવત ૧૬૪૯ના માગશર સુદ ૩ ને દિવસે.]
પંડિત સાધુઓને સાથે લીધા. વિજયસેન લાહોર આવ્યા. જઈને ભાનુચંદ્રને પગે લાગ્યા. અકબરશાહને જાણ કરાઈ, ને સામૈયા માટે કહાવ્યું. ખુશ થઈને પાદશાહે કહ્યું “હાથી, રથ, ઘોડા અમારા લો પણ સામૈયું શાનદાન કરો.” અનેક વાજિંત્રો લઈને શ્રાવકો સામે ગયા. કીમતી પટોળાં પથરાયાં. તેના ઉપર ગુરુએ પગલાં કર્યા. જ્યારે તેઓ નગરમાં પધાર્યા ત્યારે ગાય, ભેંસ ને હાથી સામે મળ્યાં. બળદ અને ઘોડાને રથે જોતરવામાં આવ્યા. પંખીઓએ મધુર અવાજ કર્યા. ઉપાશ્રયે આવીને તેઓ ઊતર્યા. શ્રાવકોએ મહોત્સવ કર્યો. સારા દિવસના શુભ મુહૂર્તમાં તેઓ અકબરશાહને મળ્યા.
દુહા) ભાણચંદ જગમાં વડો, ભાણ પરિ જત ખેહ; જિન શાસન દીપાવીઉં, જિનની ભગતિ કરેહ. ૧૯૨૪
(ઢાળ ૭૯ - ચાલ્ય ચતુર ચંદ્રાનની એ દેશી.) જિન મંદિર પોલાલિમાં, ઉતારોજી હોય રે, તેહ ટાલી કર્યા વેગલા, રાખ્યા પંડિત જોય રે. એહ ચેલા ગુરુ હરના. આંચલી.
૧૯૨૫ સ્વ સાસન ડેરા વળી, રાખ્યા પંડિત વલી તેહ રે;
કર્યો ઉપગાર સહુ જીવને, પુણ્યનો નહિ છેહ રે. એહ. ૧૯૨૬ કરણી બેચ્યાર લખ્યાં ઇહાં, લખ્યાં સકલ ન જાય રે;
હીર અકબર અને શેખજી, રત્ન મૂલ ન થાય રે. એહ. ૧૯૨૭ ટિ. ૧૯૨૪.૧ ભાણ = સૂર્ય