________________
૧૯૬
* શ્રાવક કવિ ઋષભદાસકૃત
ધનવિજય ધીરજનો ધોરી, અકબર પાસે જાય;
શાંતિચંદ મુનિને તે મળીઓ, ભાખી સકલ કથાય હો. હી. ૧૭૧૧ અરજ કરી અકબરશાહનિ, સુણતાં સબલો ખિજે;
કુદણકું પઇજારો મારી, બાંધી અબ આણી જે હો. હીરજી. ૧૭૧૨ હીરાણંદ ગુમાસ્તો તેહનો, કરતા તસલીમ ત્યાંહિં; એક ગુહના મુજ માફ કરી છે, મિ લખતાં જ ઉહાંહિ હો. ૧૭૧૩
પણ ખિજાયેલા અકબરે તો જે જગદ્ગરને પરેશાન કરતો હોય તેને મારવો અને એમ ન સમજે તો એને ખૂબ કડક શિક્ષા કરવી એ રીતે જાતે ફરમાન લખ્યું. એ ફરમાન ધનવિજય મુનિને આપ્યું. તે લઈ તેઓ (ખંભાત) આવ્યા. સૌ શ્રાવકજનો હરખ પામ્યા. ખોજાને આની જાણ થઈ. સોનેરી છપાઈવાળું ફરમાન હબીબુલાએ વાંચ્યું. એને થયું કે મેં હીરવિજયને પરેશાન કર્યા. એમને મારવા જતાં હું જ મરાયો. ખોજાના મનમાં ખળભળાટ મચી ગયો, “આ મને કેવી કુબુદ્ધિ સૂઝી ! હરમુનિને હવે તેડી લાવો. બધા એમને લેવા સામે જાઓ.” હાથી, રથ, ઘોડા ને લશ્કર લઈને સુલતાન સામો થાય છે. પગે લાગીને વિનંતી કરે છે ને હીરગુરુના ગુણ ગાય છે. (ઢાળ ૭૩ – મૃગાવતીની – મુકાવો રે મુજ ઘર નારિ. એ દેશી) ખીજી અકબર આપ લખતો. વે સહી માર્યો જાવે છે: કરે બુરાઈ જગતગુરુસેતીસોય સજા સહી પાવે બે – ૧૭૧૪
બુધા બે નહુ સમજે બે, ખૂબ તજારખ દેઉં. આંચલી. ૧૭૧૫ કરી ફરમાન આપ્યું મુનિવરનિ, ધનવિજય લઈ આવે છે;
શ્રાવક જન હરખ્યા નર સહુયે, જાણ ખોજાને થાવે છે. બુ. ૧૭૧૬ આવ્યાં ફરમાન સોનેરી છાપાં, હબીબલો બાંચેઇ રે;
હિર ન માન્યો કરી બુરાઈ, ભારત સોય મરેઈ બે. બુધા. ૧૭૧૭ ખલભલાટ ખોજાને લાગો, કુણ કુમતિ મુજ હોઈ રે;
હીર મુનિકું લાવો તેડી, સાહ્યા જાઓ સબ કોઈ રે. બુધા. ૧૭૧૮ ગજરથ ઘોડા કડક લઈને, સુલતાન સામો જાય રે;
પાયે નમી મીનતિ બહુ કરતો, હીર તણા ગુણ ગાય રે. બુધા. ૧૭૧૯
જગદ્ગુરુ બધા સાધુઓને લઈ ખંભાતમાં આવ્યા. બહુ ઠાઠથી સુલતાન તેમને તેડી લાવ્યો. માનવોનો પાર નથી. હબીબલો પ્રણામ કરી વિનંતી કરે છે, “મેં તમારી પ્રત્યે બુરાઈ કરી છે. પણ તમે તો ભલા માણસ છો. તમે મારા બધા ગુના માફ કરો.” હીરે કહ્યું, “જેવા તમે તેડ્યા કે તરત તમારા ગામમાં આવ્યા. જ્યારે તમે બોલાવ્યા ત્યારે ખાવાનું અધવચ મૂકી દઈને નીકળ્યા.” હબીબલો મનમાં રાજી થયો. આ કોઈ ટિ. ૧૭૧૫.૧ તજારખ = શિક્ષા ૧૭૧૯.૨ મીનતિ = વિનંતી