________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૯૩
બોલી અબલા તેણી હાય રે, જિમ તુહ્મનિ શાતા થાય રે;
તિમ કંત માહારા જ કરેહરે, ત્યારે સંઘજી દીક્ષા લેહ રે. ૧૯૮૦ ખરચી ધન મહોછવ કીધો રે, મલ્યો સંઘ તે સહુઅ પ્રસિદ્ધો રે;
હોઈ વરઘોડે જેણી વાર રે, મિલ્યા પુરુષ તણો નહિ પાર રે. ૧૯૮૧ જન સહુય અસંભે થાય રે, લીએ સંઘજી સાત દીક્ષાય રે;
નર જોવા સકો ધાય રે, વાજંતે વનમાં જાય રે. ૧૬૮૨ વાડી દોલતખાનની છે જ્યાંહિ રે, દીક્ષા કારણે આવ્યા ત્યાંહિ રે;
ખીર વૃક્ષ તળે પછિ આવે રે, સંઘજી સાહ તે સજ થાવે રે. ૧૯૮૩ મુંકે કુંડલ ચીવર હાર રે, નર નયણે ચાલી ધાર રે;
મુંકે ખુપ તિલક કમાય રે, નારી સહુએ ગલગલી થાય છે. ૧૯૮૪ મસ્તગની વેણિ વિવારે રે, વિજયસેનસૂરિ રોયા ત્યારે રે;
બીજા સાધ ભલા સઘલાય રે, આંસુએ આંખ ભરાય રે. ૧૯૮૫ દેખી રોયે સોની તેજપાળ રે, સોની ટોકર દુખ વિશાળ રે;
પાસે ઊભી રોઈ નારી રે, રોઈ કુમરી નાહની બિચારી રે. ૧૯૮૬ ઊચું ન જોયે નર સુકુમાલ રે, રખે મોહ જાગે દેખી બાળ રે;
હીર હાથે ત્યે સંયમ ભાર રે, પુંઠિ સાધ તણો પરિવાર રે. ૧૬૮૭ ઈદ્ર સરીખો ભોગી દેખી રે, નીકલ્યા ઘર સાત ઉવેખી રે;
છતા ભોગનો છંડણહાર રે, દુલહો દીસે નિરધાર રે. ૧૯૮૮ દુલહો જગમાંહિ દાતાર રે, ઘોડા સૂર સુભટ ઝુંઝાર રે;
ખમાવત તો લાખે એક રે, દીસે થોડા જાસ વિવેક રે. ૧૯૮૯ સીલવંત તો સોધ્યા કોઈ રે, પંડિત જગે દુલહા હોઈ રે;
ધનવંત તો સોધ્યા લહીએ રે, વગતા તો કોઈક કહીયે રે. ૧૯૯૦ થોડા શ્રોતા સોય સુજાણ રે, થોડા દીસે ગુણના જાણ રે;
છતા ભોગને છડે જેહ રે જગે વિરલા દીસે તેહ રે. ૧૯૯૧ સંઘજી દીઠો નર સાવ રે, છતા ભોગનો મુંકણહાર રે;
દેખી નર બુઝયા સાત રે, મુંકાવ્યો શિરી હરનો હાથ રે. ૧૯૯૨ દીધું સંઘવિજય તસ નામ રે, રાખ્યું જગમાંહિ શુભ નામ રે;) કરિ આત્મ કેરો કામ રે, બોલે ઋષભ કવિ ગુણગ્રામ રે. ૧૬૯૩
ગુરુ હીરજીને નામે જયજયકાર થયો. સં.૧૬૪૫માં પાટણમાં ચોમાસું રહી પછી વિહાર કર્યો. પાટણથી નીકળી ખંભાત આવ્યા. તેજપાલ સોની પ્રતિષ્ઠા કરાવે છે ને મનમાં હરખ પામે છે. સં.૧૬૪૬ના જેઠ માસના શુક્લ પક્ષમાં શ્રી નેમિનાથ તથા પા. ૧૬૮૨.૧ અચંભે ટિ. ૧૬૮૨.૧ અસંભે = આશ્ચર્ય પામે ૧૬૮૯.૧ ઝુંઝાર = યોદ્ધા ૧૬૯૦.૧ દુલહા = દુર્લભ