________________
૧૭૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
રદ કરાવ્યું. જેમને રાયે મેશરી કર્યા હતા તે પાછા શ્રાવક થયા. બધા ખરતરો હારીને ચૂપ રહ્યા; મનમાં પસ્તાવા લાગ્યા. આમ હીરનું નામ જગતમાં વિસ્તર્યું. હીરે પછી પ્રયાણ કર્યું.
પાતશાહી અખિ એ સહી, હીરતણા શિષ્ય સાર; સંયમ મોચ્છવ તિહાં કરી, હરે કર્યો વિહાર. ૧૪૮૦
. (ચોપાઈ) ફતેપુરથી ગુરુ સંચરે, અભિરામાબાદિ રહિવું કરે;
સંવત સોલ બહિતાલો જર્સિ, ચોમાસું તિહાં રહીઆ તસિં. ૧૪૮૧ ભોજિગ તિહાં સારિંગ સવદાસ, ખેત્રપાલ તસ પૂરે આસ;
ધૂણ્યો તેહ ઉપાશરામાંહિ, ખેતલ વીર આવ્યો તે ત્યાંહિ. ૧૪૮૨ પૂછે સાધ તસ હીરનું આય, દશ વરષ જીવે ઋષિરાય;
કેતું જીવે અકબરશાહ, વીસ વરષનું તેહનું આય. ૧૪૮૩ હીર આ હરખ્યા ઋષિરાજ, જિનશાસનની રહિયે લાજ;
સોલ બહિતાલો તેણી વાર, ખરતર વાદ થયો જ અપાર. ૧૪૮૪ વિજયસેનસૂરી પાટણમાંહિ, મુજાગરો હુઓ બહુ ત્યાંહિ;
હિર અભિરામાબાદમાં હતા, ફત્તેપુરમાં હુઆ છતા. ૧૪૮૫ મસ્તકમુંડની વાતો સુણી, હીરે ચિંતા કીધી ઘણી;
જૈનધર્મ હલ્યો એણિ આજ, જિનશાસનની ખોએ લાજ. ૧૪૮૬ સંઘ મળ્યો સઘળો ગુણે ભર્યો, અમીપાલ દોસી સજ કર્યો;
નિલાવ નદીએ પાતશા હતો, અમીપાલ થયો તિહાં છતો. ૧૪૮૭ શાંતિચંદ હતા તસ ઠામિ, વાત કહી સઘલી શિર નામી;.
ભાણચંદ તેડાવ્યા ત્યાંહિ, કરી વાત તે શેખ છે જ્યાંહિ. ૧૪૮૮ અમીપાલ અકબર કે ગયો, મૂકી શ્રીફળ ઉભો રહ્યો;
કહે દુઆ દેતો તુમ હીર, કરે બંદગી સોય ફકીર. ૧૪૮૯ પ્રેમ કરી બોલ્યો તબ મીર, ચંગે હું જગતગુરૂ હિર;
કહે લખ્યા કછુ હમકું લેખ, બોલ્યા અબુલફજલ તે શેખ. ૧૪૯૦ હિર કે મુરીદ ગુજરાતિ હોત, તિનકોં રંજસ હોતે બોહોત;
લખો લેખ કહે અકબરશાહ, રજસ કરે વો મારો જ્યાંહ. ૧૪૯૧ અઢું ફુરમાન લખી મોકલે, અમદાવાદ ભણી તે ચલે; | ઉપાશરે આવ્યું ફરમાન, લખી સુપારસ મિરજાખાન. ૧૪૯૨
ટિ. ૧૪૮૨.૧ ભોજિગ = ભોજક ૧૪૮૫.૧ મુજાગરો = વાદ, ચર્ચા ૧૪૯૧.૧-૨ રંજસ =
રંજાડ ૧૪૯.૨ સુપારસ = સિફારસ, ભલામણ