SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત મંતી તંતી જંતરી, મુનિ મુખ જંદા બે; દંડધારી દરવેસ, માંડે ફંદા બે. એક તાપસ એક તાપસી, ખાવે માંગી બે; કરતે ભોગ વિલાસ, નહિં વૈરાગી બે. ૧૩૭૨ બોધે બૌધ વૈષ્ણવ બહુ, મઠવાસી બે; નહિં જોરૂથી દૂર ક્યા સંન્યાસી બે. ૧૩૭૩ ગોદડીઆ ગિરી ને પુરી, આપે નાગા બે; ક્રોધ બહુ નહિં જ્ઞાન, ધંધે લાગા બે.૧૩૭૪ ભસમ લગાવે ભય કરે, હક્ક પોકારે બે; માંગ્યા જો નહુ દેય, કુતકા મારે બે. ૧૩૭૫ ફિરે અઘોરી જંગલે, બૂરા ખાવે બે; કહે અકબરશા આપ, દિલ નહું ભાવે બે. ૧૩૭૬ ફરીફરીને અકબર એક જ વાત કહે છે કે મેં છયે દર્શન જોઈ લીધાં પણ હીરસૂરિની તોલે કોઈ સાધુ નથી. કેટલાક નાગા સાધુઓ ઊભા ઊભા ખાય, કેટલાક પંચાગ્નિની સાધના કરે, કેટલાક જીવને એમાં સળગાવે, કેટલાક ભાંગ ચડાવે, કેટલાક જટાધારી ભૂલા પડે, કેટલાક પગમાં સાંકળ બાંધી રાખે તેવાઓ જીવહત્યા કરીને શું સાધવાના ? એમની બંદગીનો શો અર્થ ? નારીવેશમાં મગ્ન બનનારા, સ્ત્રીની અંગભંગી જોઈને રચનારા, ગોપી અને કૃષ્ણ જેમ એક થાય તેમ સ્ત્રીને ગળે લાગનારા, ભાંડભવાઈ જોનારા, આવા વિષયોમાં રાગ ધરનારા સ્વામીઓ કયો વૈરાગ્ય પામી શકે ? કેટલાક હાથી, રથ, ઘોડા, ખેતીવાડી, બબ્બે ચચ્ચાર સ્ત્રીઓ રાખે, બેટાબેટી પરણાવે, લાખોનો વેપાર કરે, બંસી બજાવતા ગાય ચરાવે, ગોવાલણીની કંચુકી ફાડે, એવા કોઈ ઠગારાને ઈશ્વર કહેવાય જ કેમ ? સોળ હજાર ગોપીઓ સાથે ખેલનાર, સહુને મારનાર, કામી-ક્રોધીને પરમેશ્વર કેમ કહેવાય ? સાંઈ-સ્વામીનું, નિગ્રંથ ગુરુનું અને ધર્મનું સત્ય સ્વરૂપ તો હીરગુરુએ જ કહ્યું. બીજું બધું મિથ્યા છે. હાથી, રથ, ઘોડા, સંપત્તિ, મુલક આમાંનું આપ્યું કાંઈ જ એમણે લીધું નહીં. કષ્ટ આપીને ક્રિયા કાર્ય કરે છે ને તે કોઈનું બૂરું કરતા નથી. કેવળ હીરગુરુએ ઘેટાં-બકરાં, માછલાં, ગાય અને પક્ષીઓની મુક્તિ માગી ને એમની ઉમર વધારી દીધી. જેવી વાત મેં કાને સાંભળી હતી એવી નજરે જોઈ. જેમની કહેણી અને રહેણી એકસરખી છે એવા હીર સાચા નિરપેક્ષી છે. ૧૩૭૧ (ઢાળ ૬૧ હું તુજપર વારી. રાગ કાફી) - બોલે બોલે બોલે રે લાલ, યું અક્બરશાહ બોલે; મેં ખટ દર્શન દેખું ઢુંઢી, હીરકે નહીં કોઈ તોલે હો.યું. તેક નાગે ખડે બી ખાતે, સાધત કેઈ પંચ અગની; કેતે ભી જીવકું ઉનહિ જલાએ, ક્યાં બંદગી ઉનેં કીની હો લાલ. ચું અ. બોલે. ૧૩૭૮ પા. ૧૩૭૧.૧ મઠપતિ તે જે નરા ૧૩૭૭
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy