SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત આ પ્રમાણે ખુદાનું સ્વરૂપ કહ્યું. હવે જેઓ નિગ્રંથ કહેવાયા છે અને ૩૬ ગુણોથી યુક્ત છે અને મુક્તિમાર્ગને સાધી રહ્યા છે તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે : જે મુનિ મુક્તિમાર્ગ સાધે છે તે પોતાની જીભને વશમાં રાખે છે, મીઠું-મધુરું ભોજન વાપરતા નથી, અસત્ય વચન કદી બોલતા નથી. તેઓ ૨૨ પરીષહ સહન કરે છે, તપ કરવામાં શૂરા છે, દુર્ગંધ હોય તો ઘ્રાણેન્દ્રિયને વશમાં રાખે ને સુગંધ હોય તો હરખાય નહીં. આમ કરતાં કર્મ બંધાય નહીં. લોચનને સ્થિર રાખીને નારીનું રૂપ નીરખે નહીં, અશુભ પદાર્થ જોઈને વિચારે કે આપણે શા માટે ખેદ કરવો જોઈએ. બીજાને મુખે નિંદા સાંભળે તોપણ ચોથું ધ્યાન – રૌદ્ર ધ્યાન રાખે, અને જો કાને પ્રશંસાનાં વચનો પડે તો કાનને બંધ રાખે. જેમની સ્પર્શેન્દ્રિય કાયા વશમાં છે તેમને શું ચંદન કે શું માટી ? શરીર ઉપર સાલૂ, પગરખુ કે ઓઢણ ધરે નહીં તેમજ લગારે રાગદ્વેષ રાખે નહીં. બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરે, સ્ત્રીસંસર્ગ ટાળે. તે નવ વાડ આ પ્રમાણે : ૧. સ્ત્રી-નપુંસકથી મુનિ અળગા રહે, ૨. સ્ત્રીકથા ન કરે. ૩. સ્ત્રી જે આસને બેઠી હોય ત્યાં બે ઘડી બેસે નહીં. ૪. નારીરૂપને ચિંતવે નહીં, ૫. નરનારી વિષયસેવન કરતા હોય ત્યાંથી અળગા રહે, ૬. પૂર્વેના ભોગ સંભારે નહીં, ૭. અલ્પ વિગય જ લે. ૮. અતિમાત્રાએ આહાર કરે નહીં, ૯. સારા શણગાર કરે નહીં. ૧૩૬ ક્રોધ, માન, માયા, લોભ – એ ચારેને ટકવા ન દે, પંચમહાવ્રત પાળે, જીવહિંસા ન કરે, મુખેથી સાચું બોલીને બીજું વ્રત ઉત્સાહથી પાળે, અન્યને નહીં આપેલું સ્હેજ પણ લે નહીં, એ ત્રીજું વ્રત પાળે, મન-વચન-કાયાથી કામનું સેવન ન કરીને શિયળવ્રત – ચોથું વ્રત રાખે, પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં સર્વ વસ્તુઓ ત્યજે. વળી, મુનિ જ્ઞાનાચારની આરાધના કરે, પોથી આદિને પગ લગાડે નહીં, દેવગુરુધર્મમાં નિશ્વલ શ્રદ્ધા રાખવાપૂર્વક દર્શનાચારને પાળે, ચારિત્રનો પંથ આદરે (ચારિત્રાચાર), તથા બાર ભેદે તપ કરે (તપાચાર), અને વીર્યાચારની પણ આરાધના કરે. આમ ધર્મકાર્યમાં બળ રાખે. (દુહા) ખુદા સોય ઐસા કહ્યા, ગુરુ ભાખ્યા નિગ્રંથ; ગુણ છત્રીસ અંગિ ધરિ, સાäિ મુગતિ જ પંથ. ૧૧૬૫ (ઢાળ ૪૭ ગુરુગીતારથ મારગ જોતા એ દેશી) મુગતિપંથ સાધે મુનિ મોટા, નિજ રસના વિસ રાખે; મીઠું મધુરું નિહૈં નવિ ખાએ, = - અસત્ય વચન નવિ ભાખે હો. ઋષિજી ગુણ છત્રીસે પૂરા. પરિસહ બાવિશ જે મુનિ ખમતા, તપ તપવાને શૂરા હો. ૠિષ. ૧૧૬૬ ટિ. ૧૧૬૬.૨ પરિસહ = કર્મની નિર્જરા અર્થે સ્વેચ્છાથી ભોગવવાનાં કષ્ટો.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy