________________
૧૧૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
લાજ્યો મેર ગયો તે આઘો રે, ઈદ્રભુવન આકાશે લાગો રે;
પુણ્ય હોઈ તો તિહાં કિણિ જઈએ રે, થોડું જિમિને તિહાંકિણિ રહીએ રે. ૧૦૦૪ ધન્ય ધન્ય વિમલતણો અવતારો રે, ભુવન નિપાઈ પામ્યો પારો રે. નામવિમળ કર્યું વિમળ વિશેષેરે, કીધી પુણ્યપ્રાપ્તિ અતિશેરે. ૧૦૦૫
વિમળ ખરે જ પાર પામ્યો, વળગેલું પાતક કાપી નાખ્યું. આવું જિનમંદિર જોઈને ઘણા તીર્થંકર ગોત્ર બાંધે છે.
હીરંગુરુ પણ તીર્થકર ગોત્ર બાંધી, ચૈત્ય જુારી દેહ પવિત્ર કરે છે. પછી વસ્તુપાળનું દહેરું જુએ છે. એ ઈદ્રભુવનના આકારનું છે. જ્યાં પાછળ હાથી શોભે છે એની ઉપર વસ્તુપાળ સવાર છે. વાંસળી વગાડનારને તે દામ આપે છે. વીરવચનના આ રાગીએ શત્રુંજય ઉપર અઢાર કરોડ ને છન્નુ લાખનું દ્રવ્ય ખર્ચ્છ, ગિરનાર ઉપર અઢાર કરોડ એંશી લાખનું દ્રવ્ય ખચ્યું. ધ્વજ-તોરણથી શોભતા ને જ્યાં ઘંટનાદ થાય છે એવા તેરસો તેર નવા જિનપ્રાસાદો કરાવ્યા, ત્રેવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ બિંબો ભરાવ્યાં, નવસો ચોર્યાસી પોષધશાળાઓ બંધાવી. અઢાર કરોડ જ્ઞાનભંડાર માટે ખર્ચા. બાર સૂરિપદ અપાવ્યાં. વર્ષમાં ચાર વાર સંઘભક્તિ કરતા અને રોજ ત્રણ વાર જિનપૂજા કરતા, પાંચસો મુનિઓને વહોરાવતા, બે પ્રતિક્રમણ કરતા. તેમણે સાડા બાર યાત્રા કરી અને આયુષ્ય ઓછું જાણીને શત્રુંજયે અનશન ઉચ્ચર્યું. પોતાના વાણોતરને લખતા કે મઠ-મસ્જિદ બંધાવરાવી તેવા પુણ્યસ્થાનોમાં મને ધન્ય કરજો. ત્રણસો છોંતેર કરોડ ને સીત્યોતેર લાખ બે હજારનું દ્રવ્ય (૩૭૬૭૭૦૨૦૦૦) જૈનધર્મનાં કામોમાં ખચ્યું.
વસ્તુપાળ ઘણો જશ પામ્યો. આબુ ઉપર બાર કરોડ ત્રેપન લાખ ધન ખર્ચે મંદિર બંધાવ્યું. ઘરની બન્ને સ્ત્રીઓએ નવ નવ લાખ પીરોજી દ્રવ્ય ખર્ચાને દેરાણી-જેઠાણીના બે સુંદર ગોખલા કરાવ્યા. આવાં કામ જેણે કર્યા તેના પ્રાસાદમાં હીરગુરુ પધાર્યા. ત્યાં નેમિનાથને જુહારી ભીમભુવનમાં આવ્યા. ત્યાં એકસો આઠ મણ પિત્તળની પરિકર સહિતની ઋષભદેવની સુંદર પ્રતિમાને જુહારી અવતાર સફળ કર્યો. ત્રણ માળ ઊંચા પ્રાસાદમાં ચોમુખજીને જુહાર્યા. ચાંપશી મહેતાએ ઘણું ધન ખર્ટે જેની કીર્તિ સ્વર્ગમાં પહોંચી ગઈ. ત્યાંથી અચલગઢ ચઢ્યા. ત્યાં જિનવરનાં ચાર મંદિરો છે. ત્યાં સારણેશ્વરના દહેરામાં સુવર્ણની મૂર્તિ જોઈ. ત્યાં એક પિત્તળનો વૃષભ ને સરોવર છે. મુનિવરોની એક પૌષધશાળા છે. બીજી પણ ઘણી રચના છે. એક હજાર પગથિયાં ચડે એટલે માણસ છેલ્લી ટૂંકે પહોંચે. અહીં ઈન્દ્રભુવન જેવું ચોમુખજીનું મંદિર છે જેમાં પિત્તળ અને સુવર્ણમય ચાર પ્રતિમાજી છે. એકેક પ્રતિમાજી એંસી મણનાં છે. જેની આગળ સૂર્યતેજ પણ ઝંખવાય. હીરગુરુ તે જુહારી પાછા વળે છે. ગઢ ઉપર અન્ય રચનાઓ જુએ છે. શ્રી માતાનું મંદિર છે. વાલ્મીકિ ઋષિએ ધન આણીને પગથી બંધાવી. જ્યાં ઉપર બાર ગામનો વાસ છે ત્યાં અર્બુદાદેવીનું મંદિર છે. ત્યાં આંબા ને ચંપકના ઘણાં વૃક્ષો છે – એની રચના-શોભા કહી જાય એવી નથી. આ બધા દેવોને જુહારીને હીરગુરુ સિરોહી નગરીમાં જાય છે. ત્યાંનો સુલતાન સામો આવીને, પાળો