SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ 103 રહે, બેસે, સૂએ, ખાય અને બોલે તો પાપકર્મ બાંધે નહીં ? ઉત્તર : સાધુ જણાથી ફરે, ઊભો રહે, બેસે, સૂએ, ખાય અને બોલે તો પાપકર્મ બાંધતો નથી. જે ભણીગણીને પંડિત થયા હોય તે આવી દયા પાળે. જે અજ્ઞાની જીવ-અજીવનો ભેદ જાણતો ન હોય તે પાતકનો છેદ કેમ કરે ? ભૂંડું સાંભળીને જે રૂડું માને, ભૂંડું છોડીને જે સારું ગ્રહણ કરે તે પોતાના પાપનો ક્ષય કરી, કેવળ પામી સિદ્ધગતિને વરે છે. જે સુખ-શાતાનો અર્થી હોય તે મોક્ષનગર પામી શકતો નથી. વળી જે સૂઈ રહે અને ઘણાં પાણીનો વ્યય કરી ધૂએ તેને સદ્ગતિ મળતી નથી. જે તપ-સંયમ આરાધે, સરળ સમતામય જીવન જીવે, પરીષહને જીતે, સમિતિ-ગુતિ આચરે તે સદ્ગતિ વરે. અંતે ચેતે તોપણ તરે છે.” આવી દેશના સાંભળીને સહસાઅર્જુને ધર્મની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે “અકબર ખરેખર બુદ્ધિમાન છે. એણે હીરપુરને બરાબર સાચા જાણીને તેડ્યા છે.” તેણે નિરપરાધી જીવની હિંસા ન કરવાનો, હંમેશાં સાધુને પ્રણામ કરવાનો, હીરગુરુના નામનો જાપ જપવાનો નિયમ કર્યો. આ પ્રમાણે પલિપતિને પ્રતિબોધીને હીરગુરુ યાત્રા કરવા અર્થે આબુપર્વત પર ચઢ્યા. જેણે આબુગઢની સ્પર્શના કરી નહીં, હીરગુરનો રાસ સાંભળ્યો નહીં અને રાણકપુરની યાત્રા કરી નહીં તે ગર્ભવાસમાં જ છે એમ સમજવું. મહાતીર્થ આબુ ઉપર હરિગુરુ ચડે છે ને કર્મ જાણે પાતળાં થાય છે. દેવલોકમાં રહેલ સુરધર વિમાન જેની આગળ કાંઈ વિસાતમાં નથી એવું ઋષભદેવ ભગવાનનું મંદિર ઊંચી ધજાએ શોભે છે. હીરવિજયસૂરિ મંદિર પ્રવેશ કરીને પ્રદક્ષિણા દે છે, જેમ ચંદ્રમા મેરુ પર્વત ફરતી પ્રદક્ષિણા કરે તેમ. પરમાહિતુ કવિ ધનપાલે રચેલી ઋષભપંચાશિકા બોલીને તેમણે આદિનાથની સ્તુતિ કરી. ચૈત્યવંદન કરી ઊભા થયા ત્યારે દેરાસર જોઈ એમનો હર્ષ માતો નથી. ઘોડા ઉપર વિમલ મંત્રીને જુએ છે, જાણે ઈન્દ્રનો અવતાર ન હોય. હીરગુરુ તેની વારંવાર પ્રશંસા કરે છે. એ વિમલપ્રબંધ આ પ્રમાણે છે તે તમે સાંભળોઃ | (ચોપાઈ) હીર કહે જે મુનિવર હોઈ, બાવન બોલ છેડે નર સોઈ; - ઉદેશિક આહાર છડેહ, વેચાતો આણ્યો નવિ લેહ. 856 નિત્ય પિંડ નવિ હોઈ યતી, આટલું જ લેવું ઉણો નહિ રતી; સાંહમું આપ્યું તે નવિ લેહ, નિશિભોજન કહીએ ન કરેહ. 857 સનાન સુગંધ લગાડે નહિ, પાસે પુષ્ય ન રાખે કંઈ; ગોળી ગૃહસ્તનું ભાજન ઠંડી, વળી ન લીજે રાજા પિંડ. 858 ટિ. 857.2 કહીએ ન = ક્યારેય નહીં
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy