SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ સાંભળી ખુશ થયેલો બાદશાહ પૂછે છે, “તમારા ગુરુ ક્યાં રહે છે ? હું એમના દિદાર તો જોઉં – દર્શન તો કરું. અને તેમને ધર્મનો વિચાર પૂછું.’ ચંપા શ્રાવિકા કહે છે “મારા હીરગુરુ અત્યારે ગુજરાતમાં બિરાજે છે. ઘણો વિકટ તેમનો માર્ગ છે અને તેમના જેવા બીજા સાધુ નથી.” સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો. વરઘોડામાં પોતાનાં વાજિંત્ર આપ્યાં. અને ચંપા શ્રાવિકાને સોનાનો ચૂડો આપ્યો. બાદશાહ ચંપાને કહે છે, કંઈક માગો !' ચંપા કહે છે, “કોઈનું આપેલું હું લેતી નથી. ધર્મસાધના કરો. જીવોને અભયદાન આપો.” સાંભળી બાદશાહ ખુશ થયો. પછી બાદશાહ માનુ કલ્યાણ અને થાનસિંઘને બોલાવે છે. અને પંન્યાસ ધર્મસીને પણ તેડાવે છે. અને કહે છે કે “હીરસૂરિને અહીં બોલાવો. તમે કાગળ લખો અને હું પણ ફરમાન લખી મોકલું.” સોનેરી અક્ષરમાં નિમંત્રણ પાઠવ્યું. સાહિબખાન ઉપર સંદેશો ગયો. “બહુમાનપૂર્વક હીરવિજયસૂરિને અહીં આવવા વિનંતી કરો અને હાથી, ઘોડા, પાલખી આપી નિશાનjકા સાથે અહીં મોકલો.” (દુહા) કરણી એહવી જે કરે, તેણે લહ્યો ખરો વિચાર; - હેતે હાથ ઘસી ગયા, ન ધર્યો નામ દાતાર. ૬૪૧ ઋષભ કહે ધન્ય કિરપણાં, અંતે અવધે જાય; અંધપણે ઊતાવળો, ચગળે કાળી ગાય. વાહલા તુંહ વરાસીઓ, ગુણ ઢાંક્યા ધૂલેણ; જો ગુણ આણત પંદડે તો ન ખણત મૂલેણ. ૬૪૩ નખ મોટા માનવતણા, બાંધ્યા કૃપણ ગુણે; અંગુળ સરસા નખ જસેં, કમેં ભરાએ તેહ. વનવેલીનાં ફૂલ ફળ, કુઆ તણાં જે નીર; દેતાં ખૂટે નહિ કદા, ઈમ ભાખે ગુરુ હીર. ૬૪૫ હીરવચન શ્રવણે સુણી, સંઘવી ખરચે ધન્ન; બીજા નર પુણ્ય આદરે, દાનિ વરસે જન્ન. ૬૪૬ | (ચોપાઈ) મહોચ્છવ હોય બહુ એણે હારિ, પછે હીર ગયા ગંધારિ; શ્રાવક સહુ સામણીએ જાય, ઉચ્છવ મોચ્છવ અધિકા થાય. ૬૪૭ શ્રાવક જન હરખ્યાં નરનાર, એક વૃક્ષ નહિ જેણે ઠારિ; તિહાં કલપદ્ધમ ઉગ્યા સાર, પત્ર પુણ્ય ફળના દાતાર. ૬૪૮ ૬૪૨ ૬૪જ પા. ૬૪૩.૨ તો ખણતો ૬૪૮.૨ જીત્યા કલ્પદ્રુમ ઉગ્યા સાર ટિ. ૬૪૨.૧ કિરપણાં = કૃપણજનો ૬૪૩.૧ વરાસીઓ = ભ્રાંતિમાં રહ્યો
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy