SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવિશુદ્ધિ જ ૫૩ ધારણ કરનારા, કર્યાગુણને જાણનારા, મનુષ્યોની સોબતથી દૂર રહેનારા, અને પંડિતતા ધારણ કરનારા ઘણા જીવો વિશ્વમાં મળી શકશે, પણ આત્મતત્ત્વના અનુભવી જીવો મળવા મુશ્કેલ છે, કેમ કે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે. જ્યોતિષ વિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણોમાં પ્રવીણ, વાસ્તુશાસ્ત્રમાં નિપુણ અને સંગીતાદિમાં નિષ્ણાત વિદ્વાનો વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્ત્વમાં પ્રવીણ જીવો મળવા દુર્લભ છે, કેમ કે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત્ એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતો નથી.' - જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદયદ્રાવક ગાયન કરનારાઓ અને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરનારા ઘણા જીવો જોવામાં આવે છે પણ આત્મામાં આનંદ કરનારા જીવો કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમ કે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે. સિંહોને વશ કરનારા, સર્પોને પકડનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાઘને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારાઓ ઘણા જીવો મળી આવે છે પણ પોતાના ચિદાત્માનો વિજય મેળવનારા કોઈ વિરલ આત્મા દેખાય છે કેમ કે બાહ્ય વિજયથી આત્મા પર છે. પાણીને,
SR No.005935
Book TitleAatmvishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year2013
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy