________________
આત્મવિશુદ્ધિ જ ૪૫ સ્મરણને મૂકીને બીજાના કાર્યની કે વર્તનની ચિંતા કરી રહ્યા છે તેવા નિભંગી જીવો ચિંતામણી રત્નનો ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે.
જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રગટ કરનાર છે. આત્મા ચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવો તેનો ત્યાગ કરીને કોઈ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
આંધળા આગળ નાચ, હેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રોગનો ઉપચાર, અજ્ઞાની જીવોનો તપ, ઉખર જમીનમાં વાવણી, તૃષા વિનાનાને પાણી, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા, અભવ્યને નિર્દોષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતો રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલો મંત્ર જેમ વૃથા છે તેમ જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મોહમાં મૂઢ બનેલા દરેક જીવો દરેક ક્ષણે પરદ્રવ્યોનું સ્મરણ કરે છે, પણ મોક્ષને અર્થે જ્ઞાનાનંદમય પોતાના આત્માને કોઈ પણ વખત યાદ કરતા નથી.
વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાનું શત્રુ નથી, માટે પ્રબળ પુરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ.
આ સંસારરૂપ કુવાના મોહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગતું ખેંચેલું છે. તેનો આત્માના જ્ઞાન અને ધ્યાનરૂપ દોરડાં વડે ઉદ્ધાર કરવો. આત્માના ઉદ્ધાર