________________
બીજા વ્યાખ્યાનની પાદટીપ
૧૧૭ પ્રથમ ભાગ, પ્રસ્તાવના), નયચક્રના પ્રસિદ્ધ પ્રણેતા મલવાદી અને એમના ગુરુને વલભી સાથે સંબંધ કથાઓમાં નોંધાયેલ છે (“પ્રભાવચરિત' પ્રબંધ ૧૦) અને વલભીમાં જૈન આગમોની વાચના થઈ એ ત્યાં જૈન પરમ્પરાના પ્રાચીન દઢમૂળ અસ્તિત્વની સૂચક છે, વલભીમાં “વિશેષાવશ્યકભાષ્ય'ના કર્તા જિનભદ્ર થયા હતા (“ભારતીય વિદ્યા' ૩.૧, પૃ. ૧૯૧)–આ બધી બાબત ધ્યાનમાં લેતાં સૌરાષ્ટ્રમાં જૈન ધર્મને પ્રચાર પ્રાગૈતિહાસિક કાળથી કઈ ને કઈ રૂપમાં ચાલે આવ્યું છે એમ કહી શકાય. જો કે પ્રાચીન શિલાલેખીય કે તામ્રપત્રીય સામગ્રી મળી નથી, છતાં પણ સાહિત્યિક પરમ્પરાને આધારે આ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. વિશેષ માટે જુઓ, “મૈત્રકકાલીન ગુજરાત’ પૃ. ૪૧૬-૨૭.
૩૪. “..સાધુ માતર ૨ પિતર ૨ મુહૂત મિતાસંતૃતજ્ઞાતીન वाम्हणसमणानं साधु दानं प्राणानं साध अनारंभो अपव्ययता अपभांडता સાધુ...”
–અશોકના શિલાલેખમાંનું ત્રીજું શાસન "...अनारंभो प्राणानं अविहीसा भूतानं ज्ञातीनं संपटिपती ब्रह्मणસમાનં સંપટિપતી માતર વિતરિ કુલા ઘેર સુરક્ષા...
–અશોકના શિલાલેખમાંનું ચોથું શાસન "...तत इदं भवति दासभतकम्हि सम्यप्रतिपती मातरि पितरि साधु सुस्सा मितसंस्तुतजातिकानं ब्राह्मणसमणानं साध दानं प्राणानं अनारंभो સાધુ...”
–અશોકના શિલાલેખમાંનું અગ્યારમું શાસન આ મૂળ અવતરણ સિવાય બત્રીસમા ટિપ્પણમાં આપેલા બારમા શાસનના અનુવાદ ઉપરથી પણ અશોકના ધર્મને લગતા વ્યાપક દષ્ટિબિંદુને ખ્યાલ આવી શકે છે. વધારામાં અશોકના ધર્મ વિશે જુઓ ડૉ. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરકૃત અને ભરતરામ ભા. મહેતા દ્વારા અનૂદિત અશોક ચરિત' પ્રકરણ ચોથું.