SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. જિનાલય, રત્નાધિક મહાત્મા, સ્થાપનાજી, પુસ્તકો વગેરેને પગ ન થાય તે રીતે સંથારો કરવો. ૧૭. પ્રારંભ કરવાનો હોય... વગેરે વિશેષ પ્રસંગે તમામ રત્નાધિકને વંદન કરીને આશીર્વાદ મેળવવા. ૧૮. સ્થાપનાજીથી ઊંચા ન બેસવું. વિશેષ રત્નાધિકથી ઉચ્ચાસને ન બેસવું. જાડા આસને ન બેસવું. ચોમાસામાં રત્નાધિકથી ઊંચી પાટ પર ન સૂવું. વિહાર દરમ્યાન સ્થાપનાચાર્યજી પાકીટ વગેરેમાં રાખ્યા હોય તો, નાભિથી ઉપર રહે તે રીતે રાખવા. ૧૯. પુસ્તકને સાપડા, ટેબલ, વીંટીયા કે કામળી પર રાખવું, નીચે ન મૂકવું. ૨૦. પુસ્તક ખોળામાં રાખીને વાંચવું-લખવું હોય તો એક ચોખ્ખું કપડું ખોળામાં રાખી તેના પર પુસ્તક રાખવું. ૨૧. પુસ્તક-પેન વગેરે પડી ન જાય કે તેને પગ ન અડે તેનું ધ્યાન રાખવું. જમીન પર નીચે ન મૂકવા. ૨૨. કાપ કાઢતી વખતે વડીલોનો અને પોતાનો કાપ સાથે હોય તો પહેલાં રત્નાધિકનાં કપડાં લેવા, પછી જ પોતાના કપડાં લેવા. પોતાનાં કપડાંની પાછળ વડીલોનાં કપડાં તે જ પાણીમાં લેવા નહિ. જ ૨૩. લૂણાંનાં કાપમાં પણ પહેલાં વડીલોનાં લૂણાં લેવા. ૨૪. પહેલી તથા બીજી પોરિસીનું પાણી સમયસર લઈ આવવું . બીજી પોરિસીના પાણીની જરૂર મોડી પડવાની છે તેથી જ્યારે જરૂર પડશે ત્યારે લઈ આવશું તેવું ન રાખવું. વર્તમાન દેશ-કાળ-સંઘયણને ખ્યાલમાં રાખવા. ૨૫. માંડલીનું દરેક કાર્ય તેના સમયે કરવું. અવિલંબ તે વિનયનું ચિહ્ન છે. ૩
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy