SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સાંવત્સરિક હિતશિક્ષાપત્રા વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના.... સુખ-શાતા જાણશો. સાંવત્સરિક ક્ષમાપના મારા તરફથી અને અત્રે સર્વે તરફથી જાણશો. સ્વીકારશો. વિશેષમાં. ૧. વ્યક્તિગત આરાધનામાં ઉત્સર્ગ આચારો પાળવા શક્ય કાળજી અને લક્ષ રાખવું. આ જેને હોય તે આરાધક બને. આ જેને ન હોય તે વિરાધક બને. જેને ઉત્સર્ગ આચારને શક્ય સંયોગોમાં પાળવાનું લક્ષ નથી તે પાળે તો પણ આરાધક નથી. તે નબળો અધુરો આચાર પાળે તે અપવાદ નથી. આવા આચારને અનાચાર શબ્દથી ન કહીએ તો પણ એ એના જેવો-વિશિષ્ટ ફળ વગરનો છે. ૩. જે સંપૂર્ણ ઉત્સર્ગ-આચાર ન પાળી શકે તેમણે પણ તે ઉત્સર્ગ આચારનાં લક્ષ સાથે શક્ય એટલા એના નિકટના આચારને પાળવાનો આગ્રહ, લક્ષ, જાણકારી, ઉપયોગ રાખવો જોઈએ. જે આ ન રાખે તેના અપવાદરૂપ લાગતા આચારો વિશેષ જયણા, કાળજી વગરના અધિક છૂટછાટવાળા હોવાથી તે પણ અપવાદ ન કહેવાતા અનાચાર કહેવાય છે. ૪. બધી બાબતમાં, બધા વ્યવહારોમાં, બધા આચારોમાં, બધી પ્રવૃત્તિમાં ઉત્સર્ગની રૂચિ, ઉત્સર્ગની ઉપસ્થિતિ, ઉત્સર્ગનો ઉપયોગ આ આરાધક આત્મા માટે અનિવાર્ય છે. આ ઉપરની ત્રણેની કે ત્રણમાંથી કોઈની પણ મંદતા એ ઉત્સર્ગની પ્રધાનતાને દૂષિત કરે છે, ગૌણ કરે છે. નિર્જરાને અલ્પ કરે છે. ૫. જીવનમાં આચારની વ્યવસ્થિત પક્કડ જીવને શ્રદ્ધાપરિણતિમાં આગળ વધારે છે, ભાવ સમ્યકત્વ-ચારિત્રને યોગ્ય બનાવે છે. આચારની 141
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy