SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. હોય તો પણ માલિકીભાવથી રાખીનલેવું વધારાના પહેલા પુસ્તકમાંથી કોઈ પણ પુસ્તક રાખવું હોય તો અધિકૃત વ્યક્તિને પૂછીને જ લેવું. ૬૪. બને ત્યાં સુધી કાગળો, નોટો, ચોપડીઓ વગેરેની ઝેરોક્ષ કરાવવી નહિ. કોઈ ઉતારાની જરૂર હોય તો જાતે લખીને ઉતારી લેવું. વિશેષ કારણથી ઝેરોક્ષ કરાવવી પડે તો ગુરુ-વડીલની રજા લઈ લેવી. શ્રાવકોને ભેટ આપવા માટે પેન, સ્ટીકરો, ચોપડીઓ વગેરેનો સંગ્રહ કરવો નહિ. ગૃહસ્થને કોઈ ચીજ ભેટ આપવી નહિ. વાંચવા યોગ્ય સારા પુસ્તકો વાંચવાની ભલામણ કરી શકાય. ૬૬. તપશ્ચર્યા-પદવી આદિના પ્રસંગોમાં સાધુ-સાધ્વીજી કે ગૃહસ્થોને ચીજવસ્તુઓ ભેટ આપવાની પ્રથા પાડવી નહિ. ૬૭. પાઠશાળા, જિનપૂજા વગેરે ધર્મપ્રવૃત્તિમાં નાના બાળકોને જોડવાના હેતુથી પણ બાળકોને જાતે ચોકલેટ, પેન્સીલ, કંપાસ વગેરે પ્રભાવના આપવાની પ્રવૃત્તિ ન કરવી. સામાન્યથી પૂજા-પૂજન કે જાહેરસભા જેવા પ્રસંગોમાં ગાવું નહિ. ગુરુ ભગવંત કે વડીલ મહાત્મા સામેથી આદેશ ન કરે તો આવી રીતે જાહેરમાં ગાવું નહિ. ૬૯. ફોન, ફેક્સ કે ઝેરોક્સ કરાવવા નહિ. વિશિષ્ટ પ્રયોજનથી કરાવવા પડે તો ગુરુ મહારાજને પૂછીને જ કરાવવા. તેની આલોચના અવશ્ય લેવી. ૭૦ ટપાલ બિલકુલ નહિ લખવાની ટેક રાખવા જેવી છે. તેવી ટેકન હોય અને કારણવિશેષથી ટપાલ વ્યવહાર કરવો પડે તો પણ મુખ્ય વડીલની ટપાલો જે સરનામે આવતી હોય તે સરનામે જ પોતાની ટપાલો મંગાવવી. પોતાનું જૂદું સરનામું ન આપવું. જતી અને આવતી બંને ટપાલ ગુરુ ભગવંતને વંચાવવી. ૭૧. ગુરુ કે વડીલથી ગુપ્તપણે કોઈની સાથે પત્ર-વ્યવહાર ન રાખવો. ૧૧૭.
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy