SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ { સંયમમર્યાદાઔચિત્ય ૧ બહેનો સાથે હસીખીલીને વાત ન કરવી. અનાવશ્યક વાતો ન કરવી. છાપાં ન વાંચવા. છાપાની પૂર્તિઓ-મેગેઝીનો તો ન જ વાંચવા. ઓછામાં ઓછા ૧૦વર્ષના પર્યાય સુધી છાપાના ત્યાગનો અભિગ્રહ કરવો. કૌતુકથી પણ છાપામાં નજર ન કરવી. ૧૦ વર્ષ સુધી વાર્તાના-ઉપદેશ આદિના ગુજરાતી પુસ્તકો પણ ન વાંચવા. માત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો અને અધ્યયનોપયોગી ગુજરાતી પુસ્તકો જ વાંચવા. વૈરાગ્યપોષકવિશિષ્ટ સાહિત્ય ગુર્વાશાથી વાંચવાની છૂટ રાખી શકાય. છાપાં વાંચતા હોય તેમણે પણ બને ત્યાં સુધી છાપાં જાહેરમાં ન વાંચવા. લોકોની અવરજવરના સમયે ન વાંચવા. બપોર પછી જ વાંચવા. સવારના પહોરમાં છાપાં વાંચવા બેસી ન જવું. જેમાં વાંચનસામગ્રી અને ફોટાનું સ્તર હલકું હોય તેવા છાપાં ખાસ ટાળવા. ભીંતો ઉપરલાગેલા પોસ્ટરો ઉપર અનાભોગથી પણ નજર ન પડે તે માટે ચાલતી વખતે દૃષ્ટિસંયમ ખૂબ રાખવો. આલોચનાની રોજેરોજ બરાબર નોંધ કરવી. અવારનવાર આલોચનાનાં બધા સ્થાનો જોઈ લેવા. દરેક બાબતની આલોચના વ્યવસ્થિત નોંધવી. ૧૧૧
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy