SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. કોઈ પણ ક્રિયા-અનુષ્ઠાન કરતા પૂર્વે જિનેશ્વરદેવે આ બતાવેલ છે તેમ વિચારીને મનમાં તે અનુષ્ઠાન પ્રત્યે ખૂબ આદર-અહોભાવ લાવવા. ૨૦. કોઈ પણ ગુણ-અનુષ્ઠાનને અનુકૂલ અને ત~તિપક્ષદોષના અપાયોની વિચારણાથી આત્માને ખૂબ ભાવિત કરવો. દેરાસરમાં પ્રદક્ષિણાની સગવડતા હોય તો પ્રદક્ષિણા અવશ્ય કરવી. ૨૨. એક જ સંકુલમાં, એક જ કંપાઉન્ડમાં દેરાસર હોય તો શક્ય બને ત્યાં સુધી સાંજે પણ દર્શન કરવા. પરંતુ, વિજાતીયની પુષ્કળ અવરજવર હોય તેવા સમયે જવાનું ટાળવું ૨૩. પ્રભુજીને રોજ નાનકડી પણ ગદ્યપ્રાર્થના કરવી. ખાસ કરીને પોતાનાં દોષ નિવારણ અને ગુણ પ્રદાન માટે પ્રભુજીને ગદ્ગદ હૈયે પ્રાર્થના કરવી. ૨૪. શક્ય બને તો દેરાસરમાં સકલ સંઘ વતી વધારાનાં ત્રણ ખમાસમણ દેવા. પ્રથમ સકલ સંઘ વતી દેવા. ૨૫. ચૈત્યવંદન કરતી વખતે સકલ સંઘને યાદ કરવો. ૨૬. ઉપકારી ગુરુવર્યોના નામનો કૃતજ્ઞભાવે જાપ કરવો. ૨૭. દેરાસરમાં ચૈત્યવંદન બાદ જમીન પર મસ્તક ઢાળીને અત્યંત શરણાગતભાવ વ્યક્ત કંરવો. રોજ સવારે ઊઠીને ઉપયોગ મૂકવો કે આજે પોતે ક્યા સ્થળે છે? આજે તિથિ-તારીખ-વાર ક્યા છે? તથા, આજે પોતાના તપ-સ્વાધ્યાય વગેરે કર્તવ્ય શું છે? ૨૯ રોજ રાત્રે સૂતી વખતે ઉપયોગ મૂકવોઃ કયા ગામમાં છું? •યા મકાનમાં છું? – ૧૦૧ ૧૦૧.
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy