SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર ૪૭૭ સાથે વર્જ્ય પદાર્થને સરખાવવામાં આવે છે તે ઉપમાન કહેવાય છે. ઉપલા દાખલામાં ‘સિંહ’ એ ઉપમાન છે. જે સાધારણ ગુણને લીધે એ પદાર્થની સરખામણી કરી હાય તે સામાન્ય ધર્મ કહેવાય છે. ઉપલા દાખલામાં બળ’ એ સામાન્ય ધર્મ છે. ‘જેવા’ એ ઉપમાવાચક–સામ્ય બતાવનાર શબ્દ કહેવાય છે. પૂર્ણોપમા—જ્યારે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, અને ઉપમાવાચક, એ બધાં આપ્યાં હોય ત્યારે પૂર્ણોપમા કહેવાય છે. લુસોપમા—પરંતુ ઉપમેય આદિમાંથી એકાદ ન આપ્યું હોય તા લુસોપમા અને છે. તે રાજા સિંહ જેવા છે--આમાં ધર્મ નથી આપ્યા, માટે ધર્મલુસા લુપ્ત।પમા કહેવાય છે. ઉપમાના દાખલા: – ગતે કરીને પવન સરિખા, ગંભીરતાએ સમુદ્ર, દેહે જાણે અનળ સિરખા, શીતળતાએ ચન્દ્ર. સંગ્રામે સુરપતિ સરિખા, ગણેશ સિરખા ગુણવાન.’ ચન્દ્રહાસ—આખ્યાન, કડ૦ ૨૨મું રૂપક—એક પદાર્થને ખીજા પદાર્થના જેવા વર્ણવ્યા ન હોય, પરંતુ તેને ખીજા પદાર્થના આરોપ કર્યો હાય, બીજો પદાર્થજ છે એમ કહ્યું હાય, તે તે અલંકાર રૂપક છે. દાખલા:મળમાં તે રાજા સિંહ છે—— આ દાખલામાં રાજાને સિંહના જેવા કહ્યો નથી, પણ સિંહનું રૂપ આપ્યું છે, રાજાને સિંહત્વ લાગુ પાડયું છે. ઇચ્છાના અંકુર મનુષ્યમાત્રમાં જન્મથી ફૂટે છે— આમાં પણ રૂપક અલંકાર છે. ઇચ્છાના અંકુર-ઇચ્છારૂપી અંકુર.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy