________________
ગર્ભગૃહ સમર્થ છે, તેમ કષાયરૂપી પ્રબળતાની બાધા દૂર કરવાને ધ્યાનરૂપી ગર્ભગૃહ સમર્થ છે, જેમ ગરમીના દુઃખને દૂર કરવા છાયા શાંતિકારી છે તેમ કષાયરૂપી અગ્નિને નાશ કરવા આત્મધ્યાનની છાયા હિતકારી છે. (૧૮૯૫-૯૬)
કષાયરૂપી દાહને શાંત કરવા આત્માનું ધ્યાન ઉત્તમ સરોવર છે, તથા કષાયરૂપી શીતને દૂર કરવા માટે આત્માનું ધ્યાન અગ્નિ સમાન ઉપકારી છે. (૧૮૯૭)
જેવી રીતે પરાજ્યના ભયથી બળવાન વાહન પર આરૂઢ રાજા, પ્રજાની રક્ષા કરે છે તેમ કષાયરૂપી પરાજ્યના ભયથી સમતાભાવરૂપી વાહન પર આરૂઢ થઈને આત્મધ્યાનરૂપી રાજા રક્ષા કરે છે. (૧૮૯૯) જેમ ક્ષુધાની વેદના અન્નથી શાંત થાય છે તેમ વિષયોની આકાંક્ષારૂપી વેદના આત્મધ્યાન વડે શાંત થાય છે. તૃષાને જેમ શીતળ જળ શાંત કરે છે તેમ વિષય-તૃષ્ણાને આત્મધ્યાન શાંત કરે છે. - શ્રી ભગવતી આરાધના, ૧૮૯૪ થી ૧૯૦૦
જે પદાર્થનો બુદ્ધિમાં નિર્ણય થઈ શકે છે તે પદાર્થમાં જીવને શ્રદ્ધા થાય છે, તથા જે પદાર્થમાં શ્રદ્ધા થાય છે તેમાં ચિત્ત લય થાય છે. શ્રદ્ધા જ ધ્યાનનું બીજ છે.
શ્રી સમાધિશતક, ૯૫ જે મહાત્મા સમભાવની ભાવના કરે છે, તેની તૃષ્ણાઓ શીઘ્ર નાશ થાય છે, અજ્ઞાન ક્ષણભરમાં દૂર થાય છે, ચંચળ ચિત્તરૂપી સર્પ નાશ પામે છે.
શ્રી જ્ઞાનાર્ણવ, ૧૧-૨૪
સર્વજ્ઞોએ સમતાભાવને જ ઉત્તમ ધ્યાન કહ્યું છે, તેને પ્રગટ થવા માટે જ સર્વ શાસ્ત્રોનો વિસ્તાર છે.
- શ્રી જ્ઞાનાર્ણવ, ૧૩-૨૪
૧૯૫
-