________________
વિષયોનો, કામનો નિરોધ કરે તેને ધ્યાની કહ્યો છે.
વૃક્ષની છાયા કચરાથી લેપાતી નથી તેમ યોગી કર્મથી લેપાતો નથી. માટે દરેક ક્રિયા અનાસક્તભાવે કરવી.
પંચપરમેષ્ઠીની ભક્તિ કરવી, ગુણગાન ગાવાં. ધ્યાનનો ઉપાસક જ્ઞાન-સંપન્ન, વૈરાગ્યવાન, મનને રોકનાર, સ્થિર ચિત્તવાળો મંદકષાયી અને અપ્રમાદી હોવો જોઈએ.
શુકલધ્યાન
શુકલ એટલે અત્યંત શુદ્ધ, નિર્મળ, આલંબન રહિત થઈ, તન્મયપણે શુદ્ધ આત્મસ્વરૂપનો વિચાર થાય તે શુક્લધ્યાન છે. તેના ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. (૧) પૃથકત્વ સવિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર
(૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ
(૪) વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ.
(આ બધાય પ્રકારો માત્ર શ્રેણિમાં આરૂઢ થયેલા શુદ્ધોપયોગી મુનિને પ્રાપ્ત થતા હોવાથી, તેનો અત્રે વિસ્તાર કરેલ નથી.)
મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજીકૃત ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'માંથી ઉદ્ધૃત ધ્યાનસાધનાની વિવધિ શ્રેણિઓ
અનુભવ-સાધનાનું અંતિમ ચરણ
કેટલાંક આધ્યાત્મિક વર્તુળો ‘અનુભવ’ની પ્રાપ્તિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે અને તે અવસ્થામાં જો સ્થિતિ થઈ હોય તો એ વર્તુળો એને જીવનમુક્તિ સમજે છે. જૈન સિદ્ધાંત અનુસાર, ક્ષાયિક સમ્યક્ત્વયુક્ત ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીની એ દશા હોઈ શકે. જ્યારે જીવનમુક્તિ માટે તો રાગ-દ્વેષનો પૂર્ણ ક્ષય-વીતરાગતા
૧૮૭