________________
- ત્રણ સ્વીકાર :
પ્રિય ધર્માનુરાગી કલ્યાણમિત્ર,
આપશ્રીને ધ્યાન એક પરિશીલન” પુસ્તક મોકલીએ છીએ તે સ્વીકારવાની કૃપા કરશોજી.
મા-બાપનું ઋણ કાયરે પણ, કોઈ કાળે, કોઈ રીતે કે કોઈ કીંમતે ચૂકવી શકાય નહી.
જન્મ આપનાર મા-બાપ અને સાચો-સમ્યગ ધર્મ બતાવી તે રસ્તે ચલાવનાર સર્વે ગુરૂજનો જે આપણા ધર્મ મા-બાપ છે તેઓ આપણને કાયમ, કોઈને કોઈ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ, આપતા જ હોય છે. તેમના કાયમ કદના જીવન દરમિયાન અને તે પછી પણ આવા કૃપાળુ, કરૂણામય, માયાળુ
, અને દયાળુ મા-બાપના ચરણે તેમની યાદમાં આ પુસ્તક અર્પણ કરતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ.
પરમ પૂજ્ય ગુરૂવર્ય ગુરૂમાતા બહેન શ્રી સુનંદાબહેનનો અમે અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેઓએ ૯૩ વર્ષની ઉંમરે ૧૯૮રમાં પ્રથમ વાર લખેલ પુસ્તકનું આટલા વર્ષોના આધ્યાત્મિક અનુભવ સાથે આપણા સૌના આત્મહીત માટે નવું સર્જન કર્યું છે.
પૂજ્ય બહેનનો અને એ સર્વે પૂજ્ય ગુરૂજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેઓએ તેમના આધ્યાત્મિક અનુભવો અને આશીર્વચનો આ પુસ્તક માટે આપ્યા છે.
સર્વે જ્ઞાનીઓએ એક મતે બતાવ્યું છે કે “આપણા સર્વેના જીવનનું ધેય શાશ્વત અને સ્વાધીન આનંદની પ્રાપ્તિ કરવાનું છે જે આત્મધ્યાનઆત્મજ્ઞાન દ્વારા થઈ શકે.”
' આ ધ્યેય પ્રાપ્ત કરવા જરૂરી સાધનસામગ્રી પૂજ્ય બહેનશ્રીએ, જેઓએ ૬૦ થી વધારે પુસ્તકોનું સર્જન કર્યું છે, આ પુસ્તકમાં ખૂબ ખૂબ પરીશ્રમ કરીને આપી છે. શરૂઆતની પા-પા ડગલી માંડીને અનંત ધ્યેય પામી શકાય તેવો સમ્યગ રાહ ખૂબ સરળ અને સચોટ રીતે બતાવ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્માને અમારી સર્વેની પ્રાર્થના કે આપ સૌને આ પુસ્તક આપશ્રીની ધ્યેય પ્રાપ્તિમાં ઉપયોગી બને.
લી. શાહ મફતલાલ વાડીલાલ માણસાવાળા પરિવાર